મહારાષ્ટ્રમાં ભાષાકીય ઓળખને લઇને વધી રહેલો વિવાદ હવે ઊંડા રાજકીય તણાવમાં પરિવર્તિત થયો છે. મરાઠી ભાષાની ધરોહર જાળવવાના નામે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. મીરા-ભાયંદર વિસ્તારમાં ફૂડ સ્ટોલના માલિકને ફક્ત મરાઠી નહીં બોલવાને લીધે માર મારી દેવામાં આવ્યો હતો અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ત્યારપછી વેપારી સમુદાયમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને શાંતિપૂર્ણ વિરોધ રેલી યોજવામાં આવી હતી.
#WATCH | Thane | Maharashtra Navnirman Sena workers in large numbers gather at Mira Bhayander for a protest over language row pic.twitter.com/D5OYZ28uQr
— ANI (@ANI) July 8, 2025
આ વિરોધના જવાબમાં મનસેના કાર્યકરોએ મંગળવારે મોટી રેલીનું આયોજન કર્યું, પરંતુ આ રેલી માટે પોલીસની પરવાનગી લેવામાં આવી નહોતી. પરિણામે થાણે અને પાલઘરમાં રેલી દરમ્યાન ભારે ટ્રાફિક જામ, તણાવ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ. ઘટનાને કાબૂમાં લેવા માટે પોલીસે રેલી શરૂ થાય તે પહેલાં સવારે 3:30 વાગ્યે જ મનસેના આગેવાન અવિનાશ જાધવ સહિતના નેતાઓને કસ્ટડીમાં લઇ લીધા હતા.
Maharashtra Language Row: भाषा विवाद पर Mumbai में MNS का प्रदर्शन, मौके पर मौजूद पुलिस… कई प्रदर्शनकारी हिरासत में लिए गए.#Maharashtra | #Marathi | #MaharashtraNews | #MNS | #Mumbai | pic.twitter.com/BnWOdWG5a5
— One India News (@oneindianewscom) July 8, 2025
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્યમાં લોકશાહી છે અને કોઈને પણ વિરોધ કરવાનો હક છે, પરંતુ કાયદાની અંદર રહીને, યોગ્ય પરવાનગી મેળવીને જ તે કરવાનો છે. બીજી તરફ મનસેના નેતા સંદીપ દેશપાંડે આ ઘટનાને “અધિનાયકી” અને “કટોકટી જેવી સ્થિતિ” ગણાવી છે. તેમણે ભાજપ નેતૃત્વવાળી રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યો કે સરકાર મરાઠી જનોના હિતોનું રક્ષણ કરવા બદલે ગુજરાતી વેપારીઓના પક્ષમાં ઉભી રહી છે.
#WATCH | Maharashtra | Police detain MNS workers protesting to counter traders' protest over language row, in Mira Bhayandar area pic.twitter.com/r9F1Rch10D
— ANI (@ANI) July 8, 2025
મનસેનું કહેવું છે કે મરાઠી ભાષા મહારાષ્ટ્રની ઓળખ છે અને તેનો અવમાન થઈ રહ્યો છે. પણ વેપારી સમુદાય અને વિરોધ પક્ષો મનસેની કાર્યવાહી સામે છે. તેમના મતે મરાઠી ભાષા માટે વાત કરવાનો હક છે, પરંતુ તેનુ બહાનું બનાવી લોકો સાથે હિંસા કરવી યોગ્ય નથી.
આ ઘટનામાં મરાઠી ગૌરવ, સ્થાનિક રાજકારણ, ભાષાની આસ્મિતા અને સમુદાય વચ્ચે વધતી દુરીઓનું પ્રતિબિંબ છે. રાજ્ય સરકારે હવે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધુ સાવચેત રહેવું પડશે અને સાથે સાથે ભાષાના નામે થતા ધ્રૂવીકરણને રોકવા માટે રાજકીય સહિષ્ણુતા દાખવવી જરૂરી છે.