1 માર્ચથી ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવામા આવી છે અને વહિવટીતંત્ર તૈયારીમા લાગ્યું છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે શનિવારે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે આવી પહોંચશે અને ત્યાં સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. અને ત્યાર બાદ રવિવારની વહેલી સવારે રિલાયન્સ ખાતે વનતારાની મુલાકાત લેશે અને ત્યાં બપોરે ભોજન લીધા બાદ તેઓ સીધા જ સાસણ જવા માટે રવાના થશે અને ત્યાં સિંહ દર્શન કરશે તેમજ રાત્રી રોકાણ પણ સાસણ ખાતે જ કરશે. સોમવારે વહેલી સવારે સોમનાથ જવા માટે રવાના થશે.
પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો
સોમનાથ ખાતે દર્શન અને પૂજા અર્ચના કર્યા બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના નેતાઓ પણ હાજર રહેશે. ત્યારબાદ બપોરે સોમનાથ ખાતે ભોજન લીધા બાદ તેઓ સીધા જ રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ 2:30 કલાકે દિલ્હી જવા માટે રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસના કાર્યક્રમને પગલે સૌરાષ્ટ્રભરની પોલીસ અલગ-અલગ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. તેમજ તંત્ર દ્વારા મોટાભાગની કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.