કેદારનાથ માટે શનિવારે બઢાસુ (સિરસી) થી ઉડાન ભરેલા હેલિકોપ્ટરને ટેકનિકલ કારણોસર હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર તમામ 5 મુસાફરો અને પાયલટ સુરક્ષિત છે.
#WATCH | Uttarakhand | A private helicopter en route to Kedarnath Dham made an emergency landing in Guptkashi of Rudraprayag district due to a technical fault. All the people on board the helicopter are safe: Uttarakhand ADG Law and Order Dr V Murugeshan
CEO of UCADA has… pic.twitter.com/Zj1SLluZ7N
— ANI (@ANI) June 7, 2025
અકસ્માતમાં હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું છે અને ટક્કરને કારણે હાઇવે પર પાર્ક કરેલા વાહનને પણ નુકસાન થયું છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA) એ આ બાબતની નોંધ લીધી અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને તેની જાણ કરી.
કેદારનાથ યાત્રા દરમિયાન ફરી હેલિકોપ્ટર ઇમરજન્સી લેન્ડિંગ, 7 યાત્રાળુઓનો સુરક્ષિત બચાવ
કેદારનાથ યાત્રા દરમિયાન રુદ્રપ્રયાગ જિલ્લાના બઢાસુ વિસ્તારમાં હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે હળવતાઇથી હેલિકોપ્ટરને હાઇવે પર ઉતાર્યું, જેમાં પાયલટ, કો-પાયલટ અને પાંચ યાત્રાળુઓ સહિત કુલ સાત લોકો હતા. કો-પાયલટને સામાન્ય ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અપાઈ છે, જ્યારે અન્ય યાત્રાળુઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે. ચારધામ યાત્રા શરૂ થયા પછી આ ચોથો હેલિકોપ્ટર અકસ્માત છે. અગાઉ મે 2025માં AIIMSની હેલી એમ્બ્યુલન્સ કેદારનાથમાં લેન્ડિંગ વખતે અકસ્માતનો શિકાર બની હતી અને 8 મેના રોજ ગંગોત્રી ધામ જતું હેલિકોપ્ટર ખામીના કારણે ક્રેશ થયું હતું, જેમાં છ લોકોના મોત થયા હતા. સતત થતા આવા ઘટનાઓને લઇને હેલિકોપ્ટર સેવાની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.