નવી દિલ્હી ખાતે આજે સંસદ પરિસરમાં એક અનોખો અને તણાવભર્યો દ્રશ્ય જોવા મળ્યો હતો. સંસદના ગેટ પાસે કોંગ્રેસના સાંસદો હાથમાં તખ્તીઓ લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે અચાનક લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટૂ સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ થયું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
संसद परिसर में हंगामा!
कांग्रेस नेता राहुल गांधी ने बीजेपी सांसद रवनीत सिंह बिट्टू को 'देशद्रोही' कहा, तो जवाब में बिट्टू ने राहुल को 'देश का दुश्मन' बताते हुए हमला बोला।
राहुल गांधी ने जोर-जोर से चिल्लाना शुरू कर दिया, जिससे माहौल तनावपूर्ण हो गया।
चौंकाने वाले इन दृश्यों… pic.twitter.com/Rb9OREmG0P
— One India News (@oneindianewscom) February 4, 2026
‘ગદ્દાર દોસ્ત’ પર ભડક્યા બિટ્ટૂ, રાહુલ પર કર્યો કડક હુમલો
રાહુલ ગાંધીએ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના સાંસદોની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપમાં ગયેલા પૂર્વ કોંગ્રેસી નેતા અને હાલના કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂને સંબોધતાં ‘ગદ્દાર દોસ્ત’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. રાહુલ ગાંધીના આ નિવેદનથી બિટ્ટૂ ગુસ્સે ભરાયા હતા. તેમણે રાહુલ ગાંધી તરફ આંગળી ચીંધીને કહ્યું કે, “તમે દેશના દુશ્મન છો.”
હાથ મિલાવવાનો પ્રયાસ, પરંતુ ઇનકાર
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે રાહુલ ગાંધી બિટ્ટૂ તરફ હાથ મિલાવવા માટે હાથ લંબાવે છે, પરંતુ બિટ્ટૂ હાથ આગળ વધારતા નથી. ‘ગદ્દાર દોસ્ત’ શબ્દ પર પ્રતિક્રિયા આપતા બિટ્ટૂએ કહ્યું કે, “મારે દેશના દુશ્મનો સાથે કોઈ લેવાદેવા નથી.” આ ઘટના સંસદના મુખ્ય દ્વાર પર બની હતી, જ્યાં સુરક્ષા કર્મચારીઓ પણ હાજર હતા.
કોણ છે રવનીત સિંહ બિટ્ટૂ?
રવનીત સિંહ બિટ્ટૂ ત્રણ વખત કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ પ્રથમવાર 2009માં આનંદપુર સાહિબ બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. બાદમાં 2014 અને 2019માં લુધિયાણાથી સાંસદ બન્યા હતા.
राहुल गांधी ने बीजेपी सांसद रवनीत सिंह बिट्टू को 'गद्दार' (traitor) कहकर संबोधित किया, तो रवनीत बिट्टू ने तुरंत पलटवार करते हुए राहुल को 'देश के गद्दार' (desh ke gaddar) करार दिया।
बिट्टू ने कहा कि राहुल गांधी ने उन्हें 'गद्दार दोस्त' कहा, लेकिन उन्होंने जवाब में राहुल को 'देश… pic.twitter.com/s4hUi9CuYY
— One India News (@oneindianewscom) February 4, 2026
કોંગ્રેસ છોડીને ભાજપમાં એન્ટ્રી
ખાલિસ્તાન સમર્થક કટ્ટરપંથી અવાજોના કડક ટીકાકાર ગણાતા બિટ્ટૂએ 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપનો દામન પકડ્યો હતો. જો કે, 2024ની ચૂંટણીમાં તેઓ લુધિયાણા બેઠક પરથી પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગ સામે આશરે 20 હજાર મતોથી હારી ગયા હતા.
ચૂંટણી હાર બાદ પણ મંત્રી પદ
લોકસભા ચૂંટણીમાં હાર છતાં કેન્દ્ર સરકારમાં બિટ્ટૂને સ્થાન આપવામાં આવ્યું હતું. હાલ તેઓ રેલવે અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ વિભાગમાં રાજ્ય મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
રાજકીય પૃષ્ઠભૂમિ અને દુઃખદ પરિવારિક ઇતિહાસ
બિટ્ટૂ માત્ર 11 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. ત્યારબાદ 20 વર્ષની ઉંમરે તેમણે તેમના દાદા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહને ગુમાવ્યા હતા. 31 ઓગસ્ટ 1995ના રોજ ચંદીગઢમાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓએ બેઅંત સિંહની હત્યા કરી હતી. વર્ષ 2007માં રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ બિટ્ટૂએ સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
અગાઉ પણ રાહુલ ગાંધી પર તીખા પ્રહાર
આ પહેલીવાર નથી જ્યારે બિટ્ટૂ અને રાહુલ ગાંધી વચ્ચે તણાવભર્યા નિવેદનો સામે આવ્યા હોય. સપ્ટેમ્બર 2024માં અમેરિકામાં શીખ સમુદાય અંગે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા બિટ્ટૂએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી શીખોને વહેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે સમયે બિટ્ટૂએ રાહુલ ગાંધીને “દેશના નંબર વન આતંકવાદી” ગણાવતા ભારે વિવાદ ઊભો કર્યો હતો.
રાજકીય ગરમાહટ વધુ તેજ થવાની શક્યતા
સંસદના ગેટ પર થયેલી આ ખુલ્લી ટકરાવની ઘટનાએ રાજકીય ગરમાહટને વધુ તેજ કરી છે. આવનારા દિવસોમાં આ નિવેદનબાજી સંસદની અંદર અને બહાર બંને જગ્યાએ વધુ તીવ્ર બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom