ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ વચ્ચે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને મલેશિયા વચ્ચે કુલ 11 મહત્વના કરારો પર સહમતિ નોંધાઇ, જે બન્ને દેશોની વ્યાપક રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. આ કરારોમાં સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય અને ટેક્નોલોજી ક્ષેત્રમાં સહયોગ વધારવા પર ખાસ ભાર મૂકાયો હતો.
#WATCH | Kuala Lumpur, Malaysia: Exchange of MoUs take place between India and Malaysia in the presence of Prime Minister Narendra Modi and Malaysian Prime Minister Anwar Ibrahim.
(Source: ANI/DD News) pic.twitter.com/CA7zyVrIsu
— ANI (@ANI) February 8, 2026
મોદીની બે દિવસીય મુલાકાત: વ્યાપક રણનીતિક ભાગીદારીને નવી દિશા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે મલેશિયાની મુલાકાતે છે, જેને ભારત-મલેશિયા સંબંધો માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. બેઠક દરમિયાન વેપાર અને રોકાણ, સેમિકન્ડક્ટર વિકાસ, સંરક્ષણ અને સુરક્ષા, સમુદ્રી સહયોગ, ઊર્જા, પર્યટન, ડિજિટલ ટેક્નોલોજી અને સાંસ્કૃતિક આદાનપ્રદાન જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાઓનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વેપાર વધારવો અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક સહકાર મજબૂત બનાવવાનો હતો.
#WATCH | Kuala Lumpur, Malaysia: On PM Modi's visit to Malaysia, P Kumaran, Secretary (East) says, "Semiconductors are a very important area, and to further cooperation in this area, the Malaysia-India Digital Council has been formed. It is also advancing discussions in the… pic.twitter.com/nkQFlnY7jW
— ANI (@ANI) February 8, 2026
સુરક્ષા, યુએન શાંતિ મિશન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં સહયોગ
બન્ને દેશોએ અનેક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા જેમાં સુરક્ષા સહયોગ, સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનોમાં ભાગીદારી, સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકાસ, આરોગ્ય સેવાઓ, ઇમર્જન્સી પ્રતિસાદ વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર વિરોધી સહયોગનો સમાવેશ થાય છે. નિષ્ણાતોના મતે, આ કરારો ભારત અને મલેશિયા વચ્ચે ટેક્નોલોજીકલ અને રણનીતિક જોડાણને મજબૂત બનાવશે.
Maritime neighbours, eternal friends. 🇮🇳🇲🇾
Visuals from PM Modi's meeting with Malaysian PM Anwar Ibrahim in Kuala Lumpur, which focused on enhanced cooperation in trade, infrastructure, energy, IT, biotechnology, security, defence, AI, digital tech, and semiconductors amid a… pic.twitter.com/3exqavwSw2
— BJP (@BJP4India) February 8, 2026
આયુર્વેદ અને સાંસ્કૃતિક સહયોગ: જામનગરની ITRA સાથે મહત્વપૂર્ણ સમજૂતી
આ કરારોમાં જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) અને યુનિવર્સિટી ઓફ સાઇબરઝયા વચ્ચે સહયોગની ખાસ જાહેરાત કરવામાં આવી છે. આ સમજૂતીથી પરંપરાગત આયુર્વેદિક સારવાર અને સંશોધનને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન મળશે. સાથે જ મલેશિયામાં થિરુવલ્લુવર કેન્દ્ર સ્થાપવાની અને થિરુવલ્લુર શિષ્યવૃત્તિ શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે, જે ભારતના વિખ્યાત કવિ અને ફિલોસોફર થિરુવલ્લુવર પ્રત્યે સન્માન વ્યક્ત કરે છે.
#WATCH | Kuala Lumpur, Malaysia: On PM Modi's visit to Malaysia, P Kumaran, Secretary (East) says, "PM Modi also thanked Malaysia for its support in the ongoing review of the ASEAN-India trade and goods agreement, ITGA. Our economic partnership is strong and growing. Malaysia is… pic.twitter.com/BMEpur6lUQ
— ANI (@ANI) February 8, 2026
ડિજિટલ પેમેન્ટમાં યુપીઆઇ જોડાણ: એનપીસીઆઇ અને પેનેટ વચ્ચે સહયોગ
ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે એનપીસીઆઇ ઇન્ટરનેશનલ અને મલેશિયાની પેનેટ વચ્ચે દ્વિપક્ષીય પેમેન્ટ સિસ્ટમ વિકસાવવા માટે સમજૂતી કરવામાં આવી છે. આ યોજના હેઠળ યુપીઆઇને જોડવાની તૈયારી છે, જેનાથી બન્ને દેશો વચ્ચે ક્રોસ-બોર્ડર ડિજિટલ ટ્રાન્ઝેક્શન સરળ બનશે અને ફિનટેક સહયોગને નવી ગતિ મળશે.
ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત અને આતંકવાદ મુદ્દે કડક વલણ
મોદીની મુલાકાત દરમિયાન તેમણે મલેશિયાના જાણીતા ઉદ્યોગપતિઓ સાથે પણ બેઠક કરી હતી, જેમાં પેટ્રોનસના સીઇઓ તેંગકુ મુહમ્મદ તૌફિક, બેરજાયા કોર્પોરેશનના સ્થાપક વિન્સેન્ટ ટેન અને ખઝાનાહ નેશનલ બેરહાદના અમીરુલ ઝાહીરનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ ભારતના વિકાસમાં સહયોગ બદલ તેમની પ્રશંસા કરી અને આતંકવાદ મુદ્દે કોઇ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવાની ભારતની નીતિ પુનરાવર્તિત કરી. તેમણે જણાવ્યું કે આ મુલાકાતથી ભારત અને મલેશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel