આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના સુપર માર્કેટ વિસ્તારમાં આવેલી આશરે ૩૫૦ જર્જરિત દુકાનો ખાલી કરવા કડક નોટિસો આપવામાં આવી છે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આ દુકાનોની હાલત ગંભીર જણાઈ આવતા તાત્કાલિક અસરથી દુકાનો ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
એસ્ટેટ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ ૪૪૫ દુકાનદારો અને મકાનમાલિકોને નોટિસ આપવામાં આવી છે. જેમાંથી ૯૫ ખાનગી દુકાનો તથા મકાનોના માલિકોને પણ પોતાનાં જર્જરિત મકાન દુરસ્ત કરાવવાની કડક સુચના આપવામાં આવી છે. જો રીપેરીંગ શક્ય ન હોય તો મકાન પાડી નાંખવાની તાકીદ આપવામાં આવી છે.
મહાનગરપાલિકા હસ્તકની દુકાનોમાં શરુ થયો સુરક્ષા અભિયાન
સુપર માર્કેટમાં આવેલી અનેક દુકાનો વર્ષોથી ન જાળવાતા આજે આવી હાલતમાં પહોંચી છે કે તે કોઈ પણ ક્ષણે ધરાશાયી થઈ શકે તેમ છે. જાનમાલના નુકસાનને ટાળવા માટે પાલિકા દ્વારા ભવિષ્યની દુર્ઘટનાઓ અટકાવવા અણચકું પણ આવશ્યક પગલું ભરાયું છે.
માલિકોને ‘સ્વખર્ચે’ મકાન/દુકાન દુરસ્ત કરવાની છૂટ જે દુકાનો ખાનગી માલિકીની છે, તેમને પણ મકાન/દુકાન તાકીદે રીપેર કરાવવાનું સૂચવવામાં આવ્યું છે. પાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ નોટિસ કાયદેસર રીતે આપી લેવામાં આવી છે.
સમગ્ર શહેરમાં હાલત જૂની માળખાગત વ્યવસ્થાની સામે પડકારરૂપ બની છે. પાલિકા દ્વારા દર વર્ષે વિવિધ વિસ્તારોમાં જર્જરિત માળખાનો સર્વે કરવામાં આવે છે, પણ આ વખતે સુપર માર્કેટની દુકાનોને લઈ નોંધપાત્ર પગલાં ભરાતા વેપારીઓમાં ચકચાર મચી છે.