ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને આદિવાસી સમાજના મજબૂત નેતા શિબુ સોરેનનું સોમવારે સવારે 8:48 વાગ્યે નિધન થયું. તેઓ 81 વર્ષના હતા અને લાંબા સમયથી કિડની સહિતની વિવિધ શારીરિક બિમારીઓથી પીડાઈ રહ્યા હતા. તેઓ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના નેફ્રોલોજી વિભાગમાં દાખલ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચાર બાદ રાજ્યભરમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના પુત્ર અને ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે “ગુરુજી હવે અમને છોડીને ચાલ્યા ગયા છે,” એમ કહી તેઓએ પિતા માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
आदरणीय दिशोम गुरुजी हम सभी को छोड़कर चले गए हैं।
आज मैं शून्य हो गया हूँ…
— Hemant Soren (@HemantSorenJMM) August 4, 2025
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શિબુ સોરેનના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં તેમને એક દૃઢ સંકલ્પશીલ નેતા તરીકે યાદ કર્યા, જેમણે આદિવાસી સમાજ માટે જીવનભર લડત આપી.
Shri Shibu Soren Ji was a grassroots leader who rose through the ranks of public life with unwavering dedication to the people. He was particularly passionate about empowering tribal communities, the poor and downtrodden. Pained by his passing away. My thoughts are with his…
— Narendra Modi (@narendramodi) August 4, 2025
શિબુ સોરેનને તેમના સમર્થકો અને જનસામાન્ય “ગુરુજી” તરીકે ઓળખતા હતા. તેઓ ઝારખંડ રાજ્યના નિર્માણમાં અગ્રણી ભૂમિકા ભજવનાર નેતાઓમાંના એક હતા. તેઓ ત્રણ વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા હતા—પ્રથમવાર 2005માં માત્ર 10 દિવસ માટે, બીજીવાર 2008માં લગભગ એક વર્ષ સુધી, અને ત્રીજીવાર થોડા મહિનાઓ માટે મુખ્યમંત્રી રહ્યા. છતાં, તેઓ એક પણ કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નહોતા. તેમ છતાં, તેમની લોકપ્રિયતા અને સામાજિક ઊંડાણ તેમને ઝારખંડના રાજકારણમાં અદ્વિતીય સ્થાન આપતી રહી.
કેન્દ્રના રાજકારણમાં પણ શિબુ સોરેનની નોંધપાત્ર ભૂમિકા રહી છે. તેઓ 1977માં પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં દુમકા બેઠક પરથી લડ્યા હતા, પણ ત્યારે હાર્યા હતા. 1980માં તેઓ પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા અને પછી 1986, 1989, 1991, અને 1996માં પણ વિજય પ્રાપ્ત કરી. કુલ મળીને તેઓ આઠ વખત લોકસભા સાંસદ રહ્યા. 1998માં તેઓ ભાજપના તત્કાલીન પ્રદેશ પ્રમુખ બાબુલાલ મરાંડી સામે હાર્યા હતા, જ્યારે 1999માં પોતાની પત્નીને ચૂંટણી લડાવી પણ સફળતા ન મળી. પછી તેઓ 2004, 2009 અને 2014માં પુનઃ દુમકાથી વિજયી થયા.
ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હારાવના સમયમાં ખૂબ કુખ્યાત થયેલા કેશ ફોર વોટ કૌભાંડમાં શિબુ સોરેનનું નામ પણ ઉછળ્યું હતું.
શિબુ સોરેન ત્રણ વખત કેન્દ્રમાં કોલસા મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ નરસિંહરાવ અને મનમોહનસિંહ સરકારમાં મંત્રીપદ પર રહી ચૂક્યા છે. પોતાના લાંબા રાજકારણમાં તેમણે શ્રમિકો, ખેડૂતો અને ખાસ કરીને આદિવાસીઓના હિત માટે અનેક આંદોલનો અને રાજકીય સંઘર્ષો કર્યા. તેમના નિધનથી માત્ર ઝારખંડ જ નહીં, પણ સમગ્ર દેશે એક અગત્યના સામાજિક નેતા અને લોકપ્રિય રાજકારણીઓને ગુમાવ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel