ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારની ત્રણ સગી બહેનોએ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટનાનું કારણ ઓનલાઇન કોરિયન લવ ગેમ અને ટાસ્ક-બેઝ્ડ મોબાઈલ ગેમ્સની લત હોવાનું સામે આવી રહ્યું છે. આ દુર્ઘટનાએ માત્ર પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને વિચારમાં મૂકી દીધો છે.
ભારત સિટી સોસાયટીમાં શોકનો માહોલ
ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારની ભારત સિટી સોસાયટીમાં રહેતા ચેતન કુમારની ત્રણ દીકરીઓ — નિશિકા (16 વર્ષ), પ્રાચી (14 વર્ષ) અને પાખી (12 વર્ષ) — એ એકસાથે આ અતિશય પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો. પાડોશીઓ અને સ્થાનિક લોકો આ દુર્ઘટનાથી સ્તબ્ધ છે.
Ghaziabad, Uttar Pradesh: Three minor sisters died after jumping off the 9th floor of their residential building in Ghaziabad. The incident occurred around 2 am last night under Tila Mod Police Limits in Loni area. The reason behind the incident is not yet known. However, it is…
— ANI (@ANI) February 4, 2026
મોબાઈલ ગેમની લત બનતી ગઈ ઘાતક
પોલીસ અને પરિવારજનોએ આપેલી માહિતી મુજબ, કોરોના કાળ દરમિયાન ત્રણેય બહેનો મોબાઈલ ગેમ્સ તરફ વધુ આકર્ષિત થઈ ગઈ હતી. તેઓ નિયમિત રીતે શાળાએ જતી નહોતી અને મોટાભાગનો સમય મોબાઈલ પર ઓનલાઇન ગેમ રમવામાં પસાર કરતી હતી. ખાસ કરીને ટાસ્ક-બેઝ્ડ અને કોરિયન લવ ગેમ્સમાં તેમની ગાઢ સંડોવણી હોવાનું સામે આવ્યું છે.
મધરાત્રે બની દુર્ઘટના
પરિવારજનોના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે લગભગ 2 વાગ્યાના સમયે, જ્યારે આખું શહેર ઊંઘમાં હતું, ત્યારે ત્રણેય બહેનોએ એકસાથે આ પગલું ભર્યું. ઘટનાના સમયે પરિવારના સભ્યો ઘરમાં જ હાજર હતા, પરંતુ કોઈને પણ આ બાબતની અગાઉથી કલ્પના નહોતી. પિતા ચેતન કુમાર આઘાતમાં છે અને હાલ કોઈ નિવેદન આપવા સક્ષમ નથી.
પોલીસ તપાસ તેજ, ગેમના ટાસ્ક પર શંકા
પોલીસે ઘટનાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસમાં આ વાત જાણવા પ્રયાસ થઈ રહ્યો છે કે શું કોઈ ઓનલાઇન ગેમમાં તેમને આત્મહત્યા જેવા ગંભીર પગલાં માટે કોઈ ચોક્કસ ટાસ્ક અથવા દબાણ આપવામાં આવ્યું હતું કે કેમ. મોબાઈલ ફોન, ગેમ એપ્સ અને ઓનલાઈન ચેટ્સની ફોરેન્સિક તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના
આ ઘટના ફરી એકવાર વાલીઓ અને સમાજ માટે લાલબત્તી સમાન છે. નિષ્ણાતો માને છે કે બાળકોના મોબાઈલ વપરાશ, ઓનલાઇન ગેમિંગ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ પર સમયસર દેખરેખ અને સંવાદ અત્યંત જરૂરી છે. બાળકો સાથે માનસિક સ્વાસ્થ્ય અંગે ખુલ્લી વાતચીત કરવી અને તેમને એકલતા અનુભવવા ન દેવી અત્યંત મહત્વપૂર્ણ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom