દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ (Impeachment) પ્રક્રિયા શરૂ કરવા માટે સંસદમાં સત્તાવાર રીતે પગલાં લેવામાં આવ્યા છે. 21 જુલાઈ 2025ના રોજ, લોકસભાના સત્રના આરંભે, સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી મહાભિયોગ પ્રસ્તાવના હસ્તાક્ષરિત દસ્તાવેજો સોંપ્યા હતા. બંધારણના અનુચ્છેદ 124, 217 અને 218ના અંતર્ગત રજૂ કરાયેલા આ પ્રસ્તાવ પર કુલ 145 લોકસભા સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે.
આ પ્રસ્તાવને સમર્થન આપનાર રાજકીય પક્ષોમાં એનડીએના ઘટકદળો જેમ કે ભાજપ, જેડીયુ, ટીડીપી, જનસેના, જેડીએસ, શિવસેના (શિંધે ગુટ), એલજેએસપીનો સમાવેશ થાય છે, જ્યારે વિપક્ષમાંથી કોંગ્રેસ, એનસિપિ, CPM જેવા દળોના પણ સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. મહત્વના નેતાઓ જેમ કે અનુરાગ ઠાકુર, રવિશંકર પ્રસાદ, રાહુલ ગાંધી, રાજીવ પ્રતાપ રૂડી, પીપી ચૌધરી, સુપ્રિયા સુલે અને કેસી વેણુગોપાલનો સમાવેશ હસ્તાક્ષર કરનારાંમાં થાય છે.
Members of Parliament today submitted a memorandum to the Lok Sabha Speaker to remove Justice Yashwant Varma. 145 Lok Sabha members signed the impeachment motion against Justice Verma under Articles 124, 217, and 218 of the Constitution.
MPs from various parties, including… pic.twitter.com/6YTB8Kqse8
— ANI (@ANI) July 21, 2025
જસ્ટિસ વર્મા વિરુદ્ધ આ કાર્યવાહી તેમના ઘરમાંથી મોટી માત્રામાં રૂકડી રકમની સાથે અર્ધબળેલી નોટો મળી આવ્યા બાદ શરૂ કરાઈ છે, જેના કારણે ન્યાયપાલિકા પર અનેક પ્રશ્નો ઊભા થયા હતા.
આજે રજૂ કરાયેલા મહાભિયોગ પ્રસ્તાવને અનુરૂપ, હવે લોકસભા અધ્યક્ષ ભારતના મહાન્યાયાધીશ (CJI), સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના એક ન્યાયાધીશની સમિતિ રચી વધુ તપાસ સોંપશે. સમિતિનો અહેવાલ લોકસભામાં રજૂ થશે, ત્યારબાદ ચર્ચા અને મતદાનની પ્રક્રિયા થશે. જો બહુમતીથી મહાભિયોગ પ્રસ્તાવ પાસ થાય, તો અંતે રાષ્ટ્રપતિ અધિકૃત નોટિફિકેશન દ્વારા જસ્ટિસ યશવંત વર્માને પદ પરથી હટાવશે. આ પગલાં એ ન્યાયપાલિકા માટે ગંભીર સંકેતરૂપ છે અને તેનું દૂરગામી સંવૈધાનિક મહત્વ રહેશે.