વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની બે દિવસની ઐતિહાસિક મુલાકાતે છે, જ્યાં તેમણે લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે લાંબા સમયથી અપેક્ષિત અને વ્યાપક મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારને ભારત-બ્રિટન વચ્ચેના આર્થિક સંબંધોમાં મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે.
#WATCH लंदन: भारत और ब्रिटेन ने व्यापक आर्थिक और व्यापार समझौते पर हस्ताक्षर किए।#IndiaUK #FTA #NarendraModi #KeirStarmer #LondonVisit #FreeTradeAgreement
[ Narendra Modi, Keir Starmer, London, Comprehensive Economic Agreement, bilateral trade ] pic.twitter.com/PyzAZKwmGD
— One India News (@oneindianewscom) July 24, 2025
પીએમ મોદીએ કરાર અંગે જણાવ્યું કે, “આજે આપણા સંબંધોમાં એક ઐતિહાસિક દિવસ છે. મને આનંદ છે કે ઘણા વર્ષોની મહેનત પછી આજે આપણા બંને દેશોએ વ્યાપક આર્થિક અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે.” કરાર કરતાં પહેલા મોદીએ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર અને કિંગ ચાર્લ્સ તૃતીય સાથે પણ મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય સંબંધો, સામૂહિક વિકાસ અને ભવિષ્યની સહકારની દિશા અંગે ચર્ચા કરી હતી.
#WATCH | London, UK: PM Narendra Modi says, "Today marks a historic day in our relations. I am delighted that after the hard work of several years, today our two nations have signed the Comprehensive Economic and Trade Agreement."
(Video source: ANI/DD)#PMModiInUK pic.twitter.com/ZioLb9qNgt
— ANI (@ANI) July 24, 2025
વડાપ્રધાન સ્ટાર્મરે પણ આ કરારને “નોકરીઓ અને આર્થિક વિકાસ માટેની મોટી જીત” તરીકે વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે, “આ કરારથી ટેરિફમાં ઘટાડો થશે, જેના કારણે કપડાં, જૂતા અને ખાદ્ય ઉત્પાદનો જેવી વસ્ત્રોથી માંડીને નિત્ય ઉપયોગી વસ્તુઓની કિંમત ઓછી થશે.”
શું છે FTA?
FTA એટલે કે મુક્ત વેપાર કરાર, એ એવો કરાર છે જે બે દેશો વચ્ચેના વેપારને સરળ અને ખર્ચ-પ્રમાણે અસરકારક બનાવે છે. આ કરાર હેઠળ બંને દેશો એકબીજાના ઉત્પાદનો પર લાગતી આયાત ડ્યૂટી (Import Duty), ટેરિફ અને અન્ય ટેક્સમાં ઘટાડો કરે છે અથવા તેને પૂર્ણપણે દૂર કરે છે. ભારત અને બ્રિટન વચ્ચે આ પ્રકારના FTA માટે છેલ્લા ત્રણ વર્ષથી સતત વાટાઘાટો ચાલી રહી હતી, જે હવે પૂર્ણ થયા છે.
#WATCH | PM Narendra Modi meets Prime Minister of the UK, Keir Starmer, in London
(Video source: ANI/DD)#PMModiInUK pic.twitter.com/RjAAGxmzen
— ANI (@ANI) July 24, 2025
આ કરારના અમલથી ભારત માટે ચામડાંના ઉત્પાદનો, જૂતા અને કપડાં જેવી ચીજવસ્તુઓ બ્રિટનમાં વધુ સ્પર્ધાત્મક કિંમતે નિકાસ કરી શકાશે. બીજી તરફ, બ્રિટનથી ભારતમાં વ્હિસ્કી અને કાર જેવી ચીજવસ્તુઓની આયાત ઓછી કિંમતે શક્ય બનશે.
મોદી કેબિનેટે 23 જુલાઈએ આ કરારને મંજૂરી આપી હતી. હવે આ કરાર બ્રિટિશ સંસદમાંથી પણ મંજૂર થવાના પ્રોસેસમાં છે, ત્યાર બાદ જ તેનો અમલ શરૂ થશે. આ કરાર બંને દેશો માટે ન કેવલ વેપારિક પાયાને મજબૂત બનાવશે, પરંતુ નવી રોકાણની તકો અને નોકરીઓ પણ સર્જશે.