click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઈઝરાયેલ-હમાસ હથિયારો મ્યાન કરશે ? આજે પૂરી થાય છે યુદ્ધ વિરામની સમય મર્યાદા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઈઝરાયેલ-હમાસ હથિયારો મ્યાન કરશે ? આજે પૂરી થાય છે યુદ્ધ વિરામની સમય મર્યાદા
Gujarat

ઈઝરાયેલ-હમાસ હથિયારો મ્યાન કરશે ? આજે પૂરી થાય છે યુદ્ધ વિરામની સમય મર્યાદા

ગાઝામાં આજે યુદ્ધવિરામનો છેલ્લો દિવસ છે અને આ દરમિયાન યુદ્ધ વિરામ લંબાવવાની આશા બળવતર બની છે. ઈઝરાયેલ અને હમાસ બંનેએ યુદ્ધ વિરામને લંબાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ ઇચ્છે છે કે વધુ બંધકોને મુક્ત કરવામાં આવશે. તો બીજી બાજુ હમાસ પણ તેના વધુને વધુ કેદીઓને મુક્ત કરાવવાના મૂડમાં છે.

Last updated: 2023/11/27 at 12:30 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગાઝામાં લાગુ કરેલ ચાર દિવસીય યુદ્ધવિરામનો આજે છેલ્લો દિવસ છે. યુદ્ધ વિરામની શરત અનુસાર, હમાસે અત્યાર સુધીમાં ઈઝરાયેલ સહીત વિવિધ દેશના કુલ 58 બંધકોને મુક્ત કર્યા છે. જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયેલ અને 17 થાઈ નાગરિકોનો સમાવેશ થાય છે. કેટલાક વધુ ઇઝરાયેલ અને થાઇ બંધકોને આજે મુક્ત કરવામાં આવે તેવી ધારણા છે. દરમિયાન, ઇઝરાયેલી સેના ગેરીલાની માફક અચાનક જ ગાઝામાં હુમલો કરી રહી છે. યુદ્ધવિરામ પછી તરત જ, ઇઝરાયેલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી તેમની કામગીરી ફરી શરૂ કરશે. પરંતુ યુએસ પ્રમુખ જો બાઈડન અને અખાતના દેશો ઈચ્છે છે કે યુદ્ધવિરામનો સમયગાળો લંબાવવામાં આવે જેથી કરીને વધુને વધુ બંધકોને મુક્ત કરી શકાય.

Contents
ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામને આગળ વધારવા ઇચ્છે છેઇઝરાયેલ 100 બંધકોને મુક્ત કરવા માંગે છેઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ આજે સમાપ્ત થાય છે

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયેલ અને હમાસ બંને યુદ્ધવિરામ ચાલુ રાખવા માંગે છે. વિનાશક યુદ્ધ બાદ, ગત શુક્રવારથી આજે સોમવાર સુધીના ચાર દિવસ માટે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો હતો. દરમિયાન, ઈઝરાયેલ અને હમાસ દ્વારા બંધકો અને કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. હમાસે અત્યાર સુધીમાં એક અમેરિકન બાળક સહિત 58 બંધકોને મુક્ત કર્યા છે. જ્યારે ઈઝરાયેલ દ્વારા 117 પેલેસ્ટાઈનીઓને મુક્ત કર્યા છે.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામને આગળ વધારવા ઇચ્છે છે

ઈઝરાયેલના મીડિયામાં વહેતા થયેલા સમાચાર અનુસાર, હમાસે રવિવારે એક નિવેદન જાહેર કરીને યુદ્ધવિરામ ચાલુ રાખવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. ચાર દિવસીય યુદ્ધવિરામ આજે 27 નવેમ્બરને સોમવારે રાત્રે સમાપ્ત થઈ રહ્યો છે. હમાસ પણ વધુ પેલેસ્ટાઈનીઓને મુક્ત કરાવવાના પક્ષમાં છે અને ઈઝરાયેલ પણ તેના બંધકોને હમાસ પાસેથી મુક્ત કરાવવા માંગે છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે ફોન ઉપર વાત કરી હતી. બેન્જામિન નેતન્યાહુએ રાષ્ટ્રપતિ બાઈડનને કહ્યું હતુ કે, તેમને યુદ્ધવિરામ ચાલુ રાખવામાં કોઈ સમસ્યા નથી.

To keep this pause in fighting going beyond tomorrow is our goal – so that we can continue to see more hostages come out and surge more humanitarian relief to those in need. pic.twitter.com/R9RO8OnTmu

— President Biden (@POTUS) November 26, 2023

ઇઝરાયેલ 100 બંધકોને મુક્ત કરવા માંગે છે

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સતત કહી રહ્યા છે કે તેઓ હમાસનો કાંટો કાઢી નાખવા માંગે છે. તેઓ નથી ઈચ્છતા કે ગાઝા ભવિષ્યમાં પણ ઈઝરાયેલ માટે કોઈ મુશ્કેલી સર્જે. આ સાથે, તેમણે ગાઝામાં ચાર દિવસના વિરામને લંબાવવાના પક્ષમાંહોવાનો સૂર વ્યક્ત કર્યો છે, જેથી દરરોજ વધુ દસ બંધકોને મુક્ત કરી શકાય. ઇઝરાયેલ આ યુદ્ધ વિરામ દરમિયાન ઓછામાં ઓછા 100 બંધકોને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો હમાસ દરરોજ દસ બંધકોને મુક્ત કરે છે, તો ઇઝરાયેલે બદલામાં 30 પેલેસ્ટિનિયન નાગરિકોને મુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અત્યાર સુધીમાં બંધકોની કરાયેલ મુક્તિ પછી હજુ પણ, 183 બંધકો હમાસની કેદમાં હોવાનું માનવામાં આવે છે. જેમાં 18 બાળકો (8 છોકરીઓ અને 10 છોકરાઓ) અને 43 મહિલાઓનો સમાવેશ થાય છે.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ આજે સમાપ્ત થાય છે

અત્યાર સુધીમાં 117 પેલેસ્ટિનિયન નાગરિકોને ઈઝરાયેલની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ઇઝરાયેલની જેલોમાં 10 હજાર જેટલા પેલેસ્ટિનિયન નાગરિકો કેદ છે. જેમની કથિત રીતે પશ્ચિમ કાંઠા અને ગાઝામાંથી ધરપકડ કરવામાં આવી હતી. કતારની મધ્યસ્થીથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામની સંધી થઈ હતી. દરમિયાન, હમાસ 150 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં 50 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાના હતા. આજે રાત સુધીમાં કેટલાક વધુ બંધકોને મુક્ત કરવામાં આવશે અને તે પછી યુદ્ધ વિરામનો સમય સમાપ્ત થશે.

You Might Also Like

ટ્રમ્પ સરકારે ગેરકાયદે વસતાં 4500 ઈમિગ્રન્ટ્સને અધધધ 50 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો, જાણો કારણ

સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી

દાહોદમાં PM મોદી દેશને અર્પણ કરશે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન, જે બનશે રોજગારીનું માધ્યમ

ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 891 થઈ, CM ભૂપેન્દ્ર પટેલે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા કર્યા જાહેર

અમેરિકાને પણ હવે સુરક્ષાની ચિંતા, ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ શીલ્ડ બનાવવાની જાહેરાત, જાણો વિશેષતા

TAGGED: Benjamin-Netanyahu, Breaking news, current affairs, enterniment, GAZA, gujaratinews, hindinews, isrel, isrel hamas war, joe biden, oneindia, oneindiagujrat, oneindianews, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, Politics, topnewschannel, topnewsinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 27, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં બુલેટ ટ્રેનની કરી સફર, યોકોહામા શહેરમાં જવા થયા હતા રવાના
Next Article ઉમરેઠ ખાતે ભાજપ દ્વારા સ્નેહમિલનુ આયોજન કરાયું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ટ્રમ્પ સરકારે ગેરકાયદે વસતાં 4500 ઈમિગ્રન્ટ્સને અધધધ 50 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો, જાણો કારણ
Gujarat મે 21, 2025
સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી
Gujarat મે 21, 2025
દાહોદમાં PM મોદી દેશને અર્પણ કરશે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન, જે બનશે રોજગારીનું માધ્યમ
Gujarat મે 21, 2025
ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 891 થઈ, CM ભૂપેન્દ્ર પટેલે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા કર્યા જાહેર
Gujarat મે 21, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?