રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ અમેરિકામાં સ્થિત ખાલિસ્તાની આતંકવાદી અને પ્રતિબંધિત સંગઠન ‘શીખ્સ ફોર જસ્ટિસ’ (SFJ)ના ચીફ ગુરપતવંત સિંઘ પન્નુ વિરુદ્ધ ગંભીર આરોપોમાં FIR નોંધાવી છે. પન્નુએ 15 ઓગસ્ટ, 2025ના રોજ ભારતના સ્વતંત્રતા દિવસને નિશાન બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવાથી રોકવા માટે ખુલ્લેઆમ શીખ સમુદાયને ઉશ્કેર્યા હતા. આ માટે તેણે જાહેરમાં ₹11 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી, જેને ભારત સરકાર અને સુરક્ષા એજન્સીઓએ દેશના સાર્વભૌમત્વ અને આંતરિક સુરક્ષા સામે સીધી ધમકી ગણાવી છે.
આ વિડીયો પન્નુએ 10 ઓગસ્ટ, 2025ના રોજ વોશિંગ્ટનથી વિડિયો લિંક દ્વારા પાકિસ્તાનના લાહોર પ્રેસ ક્લબમાં આયોજિત ‘મીટ ધ પ્રેસ’ કાર્યક્રમમાં જાહેર કર્યો હતો. આ દરમિયાન તેણે માત્ર ધમકી જ નહોતી આપી, પરંતુ ‘દિલ્હી બનેગા ખાલિસ્તાન’ નામના નવા રેફરેન્ડમ નકશાનો પણ અનાવરણ કર્યું હતું. આ નકશામાં પંજાબ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોને ખાલિસ્તાનનો અવિભાજ્ય ભાગ તરીકે દર્શાવ્યા હતા. આ પ્રકારની જાહેરાતોએ માત્ર રાજકીય તણાવ જ નથી સર્જ્યો, પરંતુ તે ભારતની પ્રાદેશિક અખંડિતતા સામે એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો સંકેત પણ આપી રહી છે.
NIA (National Investigation Agency) registered an FIR against banned terror outfit Sikhs For Justice's Gurpatwant Singh Pannun and other unidentified persons. Sections of BNS and UAPA have been invoked. The FIR was registered on August 19
The FIR states, "Pannun hosted the…
— ANI (@ANI) September 24, 2025
ભારતના ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે પન્નુની આ પ્રવૃત્તિઓ દેશના સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા માટે સીધો ખતરો છે. SFJ જેવા સંગઠનો વારંવાર વિદેશમાંથી ભારત વિરોધી પ્રચાર ચલાવીને યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે. આ સંદર્ભમાં પન્નુ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 61(2) (ગુનાહિત ષડયંત્ર) ઉપરાંત અનધિકૃત પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA), 1967ની કલમ 10 અને 13 હેઠળ કેસ નોંધાયો છે.
NIAએ પોતાના પ્રાથમિક પુરાવા તરીકે SFJના સત્તાવાર X હેન્ડલ પર અપલોડ કરેલા વિડીયો અને લાહોર પ્રેસ ક્લબમાં આપેલા પન્નુના નિવેદનોનો સમાવેશ કર્યો છે. હવે એજન્સી આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પ્રવૃત્તિઓ, ફંડિંગ નેટવર્ક અને પાકિસ્તાનમાં તેના સંબંધો અંગે વિશેષ તપાસ શરૂ કરશે. સુરક્ષા એજન્સીઓએ પહેલાથી જ તેની ડિજિટલ ટ્રેસ, નાણાકીય વ્યવહાર અને તેના સંગઠનના સભ્યોની ચકાસણી શરૂ કરી છે.
આ કેસ માત્ર પન્નુ વિરુદ્ધની કાર્યવાહી નથી, પરંતુ ખાલિસ્તાની તત્વોને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પાડવાનો પણ એક મોટો પ્રયાસ છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશના તિરંગા અને લોકશાહી પર હુમલો કે ધમકી સ્વીકાર્ય નથી અને આવા આતંકવાદી તત્વોને કાયદાની કડકાઈથી કાબૂમાં લાવવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel