ગુજરાતમાં જમીન વ્યવસ્થાપન અને મહેસૂલ પ્રણાલીને વધુ આધુનિક તથા વ્યવહારુ બનાવવા માટે મહેસૂલ અને ગણોતધારાના કાયદામાં મોટા ફેરફારો કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ સુધારાઓ માટે નિવૃત IAS અધિકારીઓની અધ્યક્ષતામાં બે અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવશે. ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, 1779માં વ્યાપક સુધારો કરવા માટે મૂળ કાયદાની સમીક્ષા અને ફેરફારો અંગે સલાહ આપવા નિવૃત IAS અધિકારી સી. એલ. મીનાની અધ્યક્ષતામાં એક સલાહકાર સમિતિ બનાવવામાં આવશે.
આ ઉપરાંત, મહેસૂલ અધિનિયમ સાથે સંકળાયેલા ઠરાવો અને નિયમોમાં સુધારો કરી નવો કાયદો ઘડવા માટે બીજી સમિતિની રચના કરાશે, જેના અધ્યક્ષ તરીકે નિવૃત IAS અધિકારી જે. કે. આસ્તિક રહેશે. આ સમિતિ મૂળ કાયદા સિવાયના સંબંધિત કાયદા, નિયમો અને પ્રક્રિયાઓની સમીક્ષા કરીને જરૂરી સુધારાઓ અંગે ભલામણ કરશે.
રાજ્યમાં ગણોત વહિવટ અને ખેતીની જમીન સંબંધિત 1948ના કાયદામાં પણ સુધારો કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. બિનખેડૂતને ખેતીની જમીન આપવાના મુદ્દે વિવિધ વિકલ્પો પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. બંને સમિતિઓ ખેડૂત સંગઠનો, કિસાન સંઘ અને ક્રેડાઇ (CREDAI) સાથે બેઠક કરીને તેમના સૂચનો મેળવશે. આ ઉપરાંત બાર એસોસિએશન સાથે પણ ચર્ચા કરી તમામ પાસાંઓનો અભ્યાસ કર્યા બાદ વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે, જેના આધારે રાજ્યમાં જમીન અને મહેસૂલ કાયદામાં મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં મૂકવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel