ગુજરાતમાં સતત બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે સામાન્ય જીવન ઉપરાંત શૈક્ષણિક વ્યવસ્થાઓ પણ પ્રભાવિત થઈ છે. ખાસ કરીને ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ આપી રહેલા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઉભી થઈ છે, જેમને વરસાદના કારણે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું શક્ય બન્યું નથી.
આ પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાતના શિક્ષણ વિભાગે માનવીય અભિગમ દાખવતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓ હવે પરીક્ષા પૂરી થયા બાદ ફરીથી તે પેપર આપી શકશે, જેને તેઓ ભારે વરસાદના કારણે ચુકી ગયા હતા. આ માટે ગુજરાત બોર્ડ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
રાજ્યમાં ભારે વરસાદના પગલે ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયેલા વિદ્યાર્થીઓ માટે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવામાં આવશે…#StudentSupport #BoardExam#GujaratBoard #GSEB pic.twitter.com/kXcHZ7OCZD
— Gujarat Information (@InfoGujarat) June 24, 2025
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, “ગુજરાતના કેટલાક ભાગોમાં 24 કલાકમાં 10 થી 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે, અને વિદ્યાર્થીઓ માટે સ્કૂલો સુધી પહોંચી શકવી અશક્ય બની હતી.”
તેમણે વધુમાં કહ્યું કે, “જેઓ વિદ્યાર્થીઓ પોતાનું પેપર આપી શક્યા છે, તેમની પરીક્ષા નિયમિત રીતે ચાલુ રહેશે. પણ જેમના એક અથવા બે પેપર છોડાઈ ગયા છે, તે વિદ્યાર્થીઓને પૂરી પરીક્ષા બાદ ફરી તક આપવામાં આવશે. તે માટે ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે.”
શિક્ષણ મંત્રીના આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને રાહત મળી છે, જેમને અનિચ્છનીય પરિસ્થિતિઓના કારણે પરીક્ષા ગુમાવવી પડી હતી. રાજ્ય સરકારે એવા તમામ વિદ્યાર્થીઓ માટે નમ્રતાપૂર્વક બીજી તક આપવાનું વચન આપ્યું છે, જેથી કોઈનું ભવિષ્ય વરસાદના કારણે જોખમમાં ન જાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel