બિહારના નાલંદા માંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ચૈત્ર મહિનાના છેલ્લાં મંગળવારે શીતળા માતા મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ વચ્ચે અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી (રેસ્ક્યૂ ઓપરેશન) ચાલુ છે.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
મળતી માહિતી અનુસાર, ચૈત્ર માસનો છેલ્લો મંગળવાર હોવાથી શીતલા માતાના મંદિરે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં પૂરતા પોલીસ બંદોબસ્તના અભાવે ભીડ નિયંત્રણ મુશ્કેલ બન્યું હતું.
દર્શનમાં ઉતાવળને કારણે કેટલાક લોકો કતાર તોડી આગળ વધવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. એકાએક ભીડ બેકાબૂ બનતા લોકો એકબીજા પર પડવા લાગ્યા, જેના કારણે આ ગંભીર નાસભાગ સર્જાઈ હતી.
#WATCH | Bihar: A stampede occurred during puja at Maa Sheetla Mandir in Maghra village of Nalanda. Injuries reported, deaths feared. More details awaited.
Visuals from the spot as an ambulance reaches here. pic.twitter.com/1UU0kwN6OA
— ANI (@ANI) March 31, 2026
વહીવટીતંત્રની બેદરકારી પર ઉઠ્યા સવાલો
સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના પાછળ પોલીસ અને વહીવટીતંત્રની ગંભીર બેદરકારી જવાબદાર છે. મહત્વની વાત એ છે કે આ દરમિયાન ભારતની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ નાલંદાની મુલાકાતે હતી.
રાષ્ટ્રપતિ નાલંદા યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી હતી, જેના કારણે સમગ્ર વહીવટીતંત્રનું ધ્યાન તેમના સુરક્ષા બંદોબસ્તમાં કેન્દ્રિત રહ્યું હતું। પરિણામે મંદિર ખાતે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે આ ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
#WATCH | Nalanda, Bihar: A devotee breaks down as she recounts the stampede at Maa Sheetla Mandir.
"There was a massive crowd. Four of us had come from Patna. We got separated from each other. People were trampled on…" pic.twitter.com/F1WlgcOEW2
— ANI (@ANI) March 31, 2026
હોસ્પિટલમાં ઘાયલોની સારવાર
ઘટનાની જાણ થતા જ પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ 8 લોકોને મૃત જાહેર કર્યા છે, જ્યારે અડધા ડઝનથી વધુ લોકો હાલ સારવાર હેઠળ છે.
આ દુર્ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel