ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સિહોરમાં યોજાયેલ સરપંચ અભિવાદન સમારોહમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ શીખ આપી કે, સરપંચ એ પદ કરતાં પણ સેવાની જવાબદારી વિશેષ છે.
ભાવનગર જિલ્લામાં તાજેતરમાં યોજાયેલ ચૂંટણી દરમિયાન સમરસ તથા ચૂંટાયેલા સરપંચો માટે સિહોરમાં અભિવાદન સમારોહ યોજાઈ ગયો. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલનાં પ્રમુખ સ્થાને આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને ધારાસભ્યો તથા હોદ્દેદારો અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં સરપંચોનું અભિવાદન કરવામાં આવ્યું.
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ સમરસ અને ચૂંટાયેલા સરપંચોને અભિનંદન પાઠવી સામાજિક વિકાસ માટે પ્રયત્નશીલ રહેવા જણાવ્યું. તેઓએ શીખ આપી કે, સરપંચ એ પદ કરતાં પણ સેવાની જવાબદારી વિશેષ છે. આ સાથે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વિકસિત ભારતનાં અભિગમમાં સૌને સાથે રાખીને આપણે કામ કરવાના છે. વૃધ્ધો માટે સહાયક યોજનાઓ પર પણ તેઓએ ભાર પૂર્વક કામ કરવા જણાવ્યું.
સમારોહના અધ્યક્ષ અને ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલે પંચાયતથી સંસદ સુધીમાં ભાજપના પ્રતિનિધિઓ રહેલા છે, જેઓ સતત સમાજના વિકાસ કામોમાં કાર્યરત છે, તેનો સકારાત્મક લાભ લેવા સૌ સરપંચોને હાકલ કરી. ગરીબ વર્ગની, વિધવાની, આરોગ્યની વગેરે યોજનાઓનો વંચિતોને લાભ અપાવી ગોકુળિયું ગામ બનાવવા અને તે માટે પૂરતો સહયોગ આપવાની બાહેંધરી પણ આપી.
સિહોરમાં યોજાયેલ આ અભિવાદન સમારોહ પ્રસંગે ધારાસભ્યો શંભુનાથજી ટુંડિયા, શિવાભાઈ ગોહિલ તથા ગૌતમભાઈ ચૌહાણ સાથે પૂર્વ ધારાસભ્ય રાઘવજી મકવાણાએ સૌને અભિનંદન આપી એકતા સાથે ગામના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહેવા અનુરોધ કર્યો.
સમારોહ પ્રારંભે ચેતનસિંહ સરવૈયાએ સ્વાગત ઉદ્બોધન કરેલ અને આભાર વિધિ રાજેશભાઈ ફાળકીએ કરી. સંચાલનમાં વિજયભાઈ ચૌહાણ રહ્યા હતા.
ભાજપ સિહોર શહેર પ્રમુખ નિલેશભાઈ ડાભી, તાલુકા પ્રમુખ ભોજુભાઈ ડાંગર અને નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ અને હોદ્દેદારો સાથે સંગઠન દ્વારા સુંદર સંકલન રહ્યું તેમ પ્રવક્તા ( મીડિયા ક્ન્વીનર ) કિશોર ભટ્ટ તથા મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared