કોરોના દરમ્યાન નડિયાદ રેલવેની પશ્ચિમ બાજુની ટિકિટ બારી બંધ કરવામાં આવી હતી. જે પુનઃ શરૂ કરવામાં આવી છે. ખેડા ડીઆરયુસીસી સભ્ય મિતલભાઈ વ્યાસ દ્વારા ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા વડોદરા મંડળની બેઠકમા આ મુદ્દે વિસ્તૃત ચર્ચા અને પરામર્શ કર્યા બાદ ઝડપથી તેને શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
જેના પગલે પંદર દિવસમાં જ તેનું અમલીકરણ કરવામાં આવ્યું છે અને તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી તે ટિકિટ બારી શરૂ કરવામાં આવી હતી. જેના દ્વારા પશ્ચિમ વિસ્તારમાં રહેતા નાગરિકો, પાસ ધારકોને તેનો વિશેષ લાભ મળશે. નડિયાદ પશ્ચિમ વિસ્તારના નાગરિકો માટે છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્ને સુખદ નિરાકરણ આવતા આ વિસ્તારની જનતામાં આનંદ સાથે રાહતની લાગણી વ્યાપી છે.