Surat ના જાણીતા બિલ્ડર Tushar Ghelani આપઘાત કેસમાં મુખ્ય આરોપી Poonam Bhadoriya ને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુરતની નામદાર કોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણી બાદ સ્પષ્ટ રીતે જામીન આપવાનો ઇનકાર કર્યો છે.
બંને પક્ષોની વિસ્તૃત દલીલો અને પોલીસ તપાસના દસ્તાવેજોને ધ્યાનમાં રાખીને કોર્ટે આ નિર્ણય આપ્યો હોવાનું જાણવા મળે છે.
બદનામીના ડરે ભર્યું આત્મઘાતી પગલું
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે જે દિવસે તુષાર ઘેલાણીની પુત્રીના લગ્ન હતા, તે જ દિવસે સમાજમાં બદનામ થવાના ડર અને માનસિક તણાવને કારણે તેમણે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
પૂનમ ભદોરિયા દ્વારા સતત બ્લેકમેલ અને માનસિક પ્રતાડના કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે પ્રોસિક્યુશને જામીન અરજીનો જોરદાર વિરોધ કર્યો હતો.
1 ફેબ્રુઆરી 2026ની ઘટના
1 ફેબ્રુઆરી, 2026ના રોજ તુષાર ઘેલાણીએ પોતાના નિવાસસ્થાને 9 mm બુલેટથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગોળી મગજની આરપાર નીકળી જતા તેમની હાલત ગંભીર બની હતી. તેમને સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પાંચ દિવસ સુધી જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કર્યા બાદ તબીબોએ તેમને ‘બ્રેઈનડેડ’ જાહેર કર્યા હતા.
કોણ હતા તુષાર ઘેલાણી?
તુષાર ઘેલાણી 1990થી સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે સક્રિય હતા. ‘ઘેલાણી ગ્રુપ’ દ્વારા તેઓ આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ પ્રોજેક્ટ્સ માટે જાણીતા હતા. પાર્લે પોઈન્ટ ખાતે તેમની મુખ્ય ઓફિસ હતી અને તેઓ સુરતના બાંધકામ ક્ષેત્રમાં આદરણીય ઉદ્યોગપતિ તરીકે ઓળખાતા હતા.
આ કેસમાં પૂનમ ભદોરિયાની ધરપકડ બાદ હવે તેમનો જેલવાસ લંબાયો છે અને કેસની કાયદાકીય પ્રક્રિયા આગળ વધી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel