પંજાબમાં રાજકીય હલચલ વચ્ચે Enforcement Directorate (ED)એ શુક્રવારે સવારે AAP નેતા અને કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના લુધિયાણા સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. EDની ટીમે સ્થળ પર પહોંચતાં જ દસ્તાવેજોની તપાસ શરૂ કરી હતી, જ્યારે સુરક્ષા માટે કેન્દ્રીય પોલીસ દળના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
13 સ્થળોએ એકસાથે કાર્યવાહી
અહેવાલો મુજબ EDની આ કાર્યવાહી માત્ર સંજીવ અરોરા સુધી મર્યાદિત નથી. તપાસ એજન્સીએ લુધિયાણા, જલંધર, ચંદીગઢ અને ગુરુગ્રામ સહિત કુલ 13 સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે. આ તપાસમાં તેમના વ્યવસાયિક ભાગીદારો પણ રડારમાં છે.
કેજરીવાલનો પ્રતિક્રિયા
આ કાર્યવાહી પર Arvind Kejriwalએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં AAP નેતાઓ પર આ બીજો દરોડો છે. તેમણે સવાલ કર્યો કે અત્યાર સુધીના દરોડામાં શું એક પણ રૂપિયો “કાળા નાણાં” મળ્યા છે? કેજરીવાલે આ કાર્યવાહી ને રાજકીય પ્રેરિત ગણાવી છે.
તપાસનો વ્યાપ: બિઝનેસ પાર્ટનર પણ તપાસમાં
EDની તપાસમાં સંજીવ અરોરા ઉપરાંત તેમના બિઝનેસ પાર્ટનર હેમંત સૂદ અને જલંધરના ઉદ્યોગપતિ ચંદ્રશેખર અગ્રવાલનો સમાવેશ થાય છે. આ કેસ ‘હેમ્પટન સ્કાય રિયલ્ટી’ નામની કંપની સાથે જોડાયેલા જમીન સોદાથી શરૂ થયો હતો.
ED તપાસમાં ચોંકાવનારા આરોપો
તપાસ એજન્સીના પ્રાથમિક તારણો મુજબ સંજીવ અરોરાની કંપનીએ નિયમોનું ઉલ્લંઘન કરીને જમીન ઉપયોગમાં ફેરફાર કર્યો હોવાનો આરોપ છે. ઉપરાંત શેરબજારમાં હેરાફેરી, દુબઈમાં સટ્ટાબાજીથી મળેલા ગેરકાયદેસર ભંડોળને ભારતમાં લાવી લોન્ડરિંગ કરવાનો પણ આક્ષેપ છે.
હવાલા, GST અને નકલી ટ્રાન્ઝેક્શનના આરોપ
અહેવાલો મુજબ ચંદ્રશેખર અગ્રવાલ દ્વારા સટ્ટાબાજી અને હવાલા વ્યવહારોમાંથી મેળવેલા નાણાંને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવામાં આવ્યા હતા. વધુમાં નિકાસ બિલો બનાવી અને નકલી GST સંસ્થાઓ મારફતે કરોડો રૂપિયાની ઉચાપત કરવાનો પણ શંકાસ્પદ મુદ્દો સામે આવ્યો છે.
તપાસ હજુ ચાલુ
હાલમાં ED FEMA હેઠળ તપાસ કરી રહી છે અને રહેણાંક તથા વાણિજ્યિક સ્થળોએ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની વિગતવાર તપાસ ચાલી રહી છે. આ કેસમાં આગળ વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel