click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યોથી ગુંજી ઉઠશે પરિસર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યોથી ગુંજી ઉઠશે પરિસર
GujaratMehsana

મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યોથી ગુંજી ઉઠશે પરિસર

મોઢેરાનું સૂર્યમંદિર સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિરની રચના એવી અદભૂત રીતે કરવામાં આવી છે કે સૂર્યના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશ કરે.

Last updated: 2026/01/17 at 4:02 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં શનિવારથી કલા અને સંસ્કૃતિનો અદભૂત સંગમ સર્જાવા જઈ રહ્યો છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 17 અને 18 જાન્યુઆરી દરમિયાન બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ–2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરરોજ સાંજે 6:30 વાગ્યે શરૂ થઈ મોડી રાત સુધી ચાલશે.

સૂર્યમંદિરના અદભૂત સ્થાપત્યની પૃષ્ઠભૂમિમાં દેશના નામાંકિત કલાકારો પોતાની નૃત્યકલાનો મનમોહક પ્રદર્શન કરશે. આ મહોત્સવ દરમિયાન ભારતીય સંસ્કૃતિના વિવિધ શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપો રજૂ કરવામાં આવશે. ખાસ કરીને ભરતનાટ્યમ, કુચિપુડી, કથક અને ઓડીસી જેવા નૃત્યો દ્વારા સૂર્યમંદિરનું સમગ્ર વાતાવરણ દિવ્ય અને ભક્તિમય બની જશે.

મોઢેરા ખાતે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નું ભવ્ય આયોજન…

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોઢેરા સૂર્યમંદિર ખાતે દ્વિદિવસીય શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ યોજાશે…

ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં કલા અને… pic.twitter.com/nTByonNEMU

— Gujarat Information (@InfoGujarat) January 16, 2026

ઉત્તરાયણ બાદ સૂર્યના ઉત્તર તરફના પ્રયાણને વધાવવા માટે દર વર્ષે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સૂર્યમંદિરના સભામંડપ અને કુંડની આસપાસ સજાવેલી રોશની વચ્ચે જ્યારે ઘૂંઘરુઓનો નાદ ગુંજે છે, ત્યારે એક અલૌકિક અને અવિસ્મરણીય દ્રશ્ય સર્જાય છે. આ મહોત્સવ માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી, પરંતુ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.

રાત્રિના સમયે સૂર્યમંદિરને રંગબેરંગી લાઈટિંગથી શણગારવામાં આવે છે, જે નૃત્ય પ્રદર્શનોને વધુ આકર્ષક બનાવી દે છે. ખાસ કરીને રાત્રિનું લાઈટિંગ પ્રવાસીઓ માટે આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ રહે છે. મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહોત્સવમાં આવનાર મહેમાનો અને પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આ મહોત્સવને જોવા માટે માત્ર ગુજરાતમાંથી નહીં, પરંતુ દેશ-વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. ‘ઉત્તરાર્ધ’ શબ્દ સૂર્યની ગતિ સાથે જોડાયેલો છે. ઉત્તરાયણ પછી સૂર્ય જ્યારે ઉત્તર તરફ પ્રયાણ કરે છે, ત્યારે તે સમયગાળાના મધ્ય ભાગને ‘ઉત્તરાર્ધ’ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન શિયાળો અંત તરફ આગળ વધે છે અને દિવસો લાંબા થવા લાગે છે.

મોઢેરાનું સૂર્યમંદિર સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિરની રચના એવી અદભૂત રીતે કરવામાં આવી છે કે સૂર્યના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશ કરે. પ્રાચીન સમયમાં અહીં નૃત્ય અને સંગીત દ્વારા સૂર્યદેવની આરાધના થતી હતી, અને એ જ પરંપરાને જીવંત રાખવા માટે ગુજરાત સરકારે 1992થી ‘ઉત્તરાર્ધ મહોત્સવ’ની શરૂઆત કરી હતી.

આ મહોત્સવનો મુખ્ય હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને જાળવી રાખવાનો અને તેને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. ઐતિહાસિક સ્થાપત્ય અને શાસ્ત્રીય નૃત્યના સંગમથી સર્જાતું આ દિવ્ય વાતાવરણ ‘ઉત્તરાર્ધ મહોત્સવ’ને માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ બનાવી દે છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

અમરેલીમાં રાજકીય ગરમાવો : કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે AAP ને લક્ષ્ય બનાવી આકરા નિવેદનો આપ્યા

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પીયૂષ ગોયલે કહ્યું – રાહુલ ગાંધી ખોટા નિવેદનો આપી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે

અમિત શાહે કરાંકલમાં કહ્યું, FTA અને વેપાર સોદાઓમાં ખેડૂતો-માછીમારોના હિતોનું સંપૂર્ણ રક્ષણ

“નોર્થ ઈસ્ટ અમારી અષ્ટલક્ષ્મી છે” ગુવાહાટીમાં PM મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતને ભેટ

TAGGED: @india, art, Bharatanatyam, Breaking news, Colorful Lighting, Cultural activities, Culture, currentnews, Dances, Government of Gujarat, gujarat, gujarati news, Kathak, Kuchipudi, latest news, Mehsana, Odissi, oneindianews, Raja Bhimdev, sports, topnews, Uttarardha Mahotsav-2026, World famous historic Modhera Sun Temple, youth, ઉત્તરાર્ધ મહોત્સવ–2026, ઓડીસી, કથક, કલા, કુચિપુડી, ગુજરાત, ગુજરાત સરકાર, નૃત્યો, ભરતનાટ્યમ, મહેસાણા, યુવા, રંગબેરંગી લાઈટિંગ, રમતગમત, રાજા ભીમદેવ, વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર, સંસ્કૃતિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં ગુજરાત મહિલા પોલીસકર્મી પણ સામેલ
Next Article અમદાવાદ: હાટકેશ્વરમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી લાખોની ચોરી, કડિયાકામ કરનાર શ્રમિક ઝડપાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમરેલીમાં રાજકીય ગરમાવો : કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે AAP ને લક્ષ્ય બનાવી આકરા નિવેદનો આપ્યા
Amreli Gujarat ફેબ્રુવારી 14, 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પીયૂષ ગોયલે કહ્યું – રાહુલ ગાંધી ખોટા નિવેદનો આપી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે
Gujarat ફેબ્રુવારી 14, 2026
અમિત શાહે કરાંકલમાં કહ્યું, FTA અને વેપાર સોદાઓમાં ખેડૂતો-માછીમારોના હિતોનું સંપૂર્ણ રક્ષણ
Gujarat ફેબ્રુવારી 14, 2026
“નોર્થ ઈસ્ટ અમારી અષ્ટલક્ષ્મી છે” ગુવાહાટીમાં PM મોદીનું સંબોધન
Gujarat ફેબ્રુવારી 14, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?