અયોધ્યાના રામલલા મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક અદભૂત અને અતિમૂલ્યવાન સુવર્ણ પ્રતિમા સ્થાપિત થવાની છે. કર્ણાટકના એક અજ્ઞાત ભક્ત દ્વારા ભેટરૂપે અર્પણ કરાયેલી આ પ્રતિમા મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી હતી. હીરા, માણેક અને પન્ના જેવા કિંમતી રત્નોથી સજ્જ આ સુવર્ણ પ્રતિમાની અંદાજિત કિંમત રૂ. 30 કરોડ જેટલી હોવાનું મનાય છે.
દક્ષિણ ભારતીય શૈલીમાં તૈયાર કરાયેલી આ પ્રતિમા આશરે 10 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે દાતાએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની વિનંતી કરી છે અને હાલ પ્રતિમાની વિવિધ સ્તરે તકનીકી તપાસ ચાલી રહી છે. અંદાજ મુજબ પ્રતિમાનું વજન આશરે 500 કિલોગ્રામ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભવ્ય પ્રતિમાને રામ મંદિર પરિસરમાં સંત તુલસીદાસ મંદિર નજીક આવેલા ‘અંગદ ટીલા’ પર સ્થાપિત કરવામાં આવશે. પ્રતિમાના અનાવરણ બાદ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં દેશભરના સાધુ-સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે.
कर्नाटक के एक भक्त ने अयोध्या के श्री राम लला मंदिर को सोने, चांदी और हीरों से बनी राम लला की एक भव्य प्रतिमा दान की है।
यह प्रतिमा मंदिर परिसर के आंगन में स्थापित की गई है, और इसकी अनुमानित कीमत करोड़ों में है। (रिपोर्ट्स के अनुसार, यह 25-30 करोड़ रुपये की है, 10 फीट ऊंची और… pic.twitter.com/JxDDiOuVR8
— One India News (@oneindianewscom) December 24, 2025
આ પ્રતિમાને તૈયાર કરવામાં તમિલનાડુના તાંજોરના કુશળ કારીગરોની અદ્વિતીય કલા જોવા મળે છે. સોનું, હીરા અને અન્ય કિંમતી રત્નોના ઉપયોગ અંગે નિષ્ણાતો દ્વારા વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે 29 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન ‘પ્રતિષ્ઠા દ્વાદશી’ના ભવ્ય આયોજનની તૈયારીઓ પણ તેજ બની છે. પાંચ દિવસીય આ મહોત્સવ દરમિયાન ગર્ભગૃહમાં અભિષેક, શૃંગાર, ભોગ અને આરતી સહિત અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel