ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન સાંપ્રદાયિક તણાવ ફાટી નીકળ્યો હતો, જેમાં મુસ્લિમ સમુદાયના ટોળાએ પથ્થરમારો કરી ઘરો, દુકાનો તથા મંદિર પર હુમલો કર્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને અત્યાર સુધીમાં 66 આરોપીઓને ઝડપી લીધા છે. આ ઘટનાના પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બહિયલની મુલાકાત લઈને માતાજીની આરતી કરી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. તેમના આગમન સમયે ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ‘ગુજરાત પોલીસ ઝિંદાબાદ’ અને ‘જય શ્રીરામ’ના નારા ગુંજી ઉઠ્યા હતા. સંઘવીએ મીડિયાને જણાવ્યું હતું કે કોઈને છોડવામાં નહીં આવે અને તોફાનીઓએ કરેલ નુકસાનની ભરપાઈ કરાવવામાં આવશે. પોલીસે ઘરોમાં છુપાયેલા તોફાનીઓને પણ બહાર કાઢી પકડી પાડ્યા હતા અને આરોપીઓને ઓળખવા માટે લોકો પાસેના વીડિયો પુરાવા આપવા અપીલ કરવામાં આવી છે. જે લોકોએ તોફાનીઓને છુપાવ્યા છે કે બચાવ્યા છે, તેમને પણ કાયદેસર ગુનેગાર ગણાશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
#WATCH | Gandhinagar | Gujarat Home Minister Harsh Sanghavi offered prayers at a Garba pandal in Bahiyal.
Violence broke out in Bahiyal village of Gandhinagar district on September 24, allegedly over a social media post. pic.twitter.com/x9x76RKA5L
— ANI (@ANI) September 26, 2025
કોર્ટ દ્વારા મુખ્ય પાંચ આરોપીઓ — રિયાઝ કુરેશી, સિદ્દીક રાઠોડ, શરીફ પરમાર, ઈરફાન કુરેશી અને શાહનવાઝ રાઠોડને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલાયા છે, જ્યારે બાકીના 61 આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં સોંપાયા છે. ઉપરાંત, પોલીસે 83 અજ્ઞાત આરોપીઓ અને 200 કરતાં વધુ હુમલાખોરો વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓની FIR નોંધી છે. ગામના સરપંચ કાલુ અબ્દુલ મલિક હિંસામાં સંડોવાયેલા હોવાની શંકા છે અને તે હાલ ફરાર છે, જ્યારે નાયબ સરપંચ અબ્દુલ કાદિર ગુલાબનાબી ચૌધરીને પણ ચેતવણી આપવામાં આવી છે. પોલીસે 60થી વધુ આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ હિંસામાં અનેક ઘરો, દુકાનો, વાહનો અને સરકારી મિલકતને નુકસાન થયું છે. પાંચથી વધુ દુકાનોમાંથી લૂંટફાટ તેમજ આગચંપી કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડના વાહનો સહિત ખાનગી વાહનોને પણ આગ લગાવવામાં આવી હતી. હાલમાં ગામમાં શાંતિ છે, પરંતુ પોલીસ ફરાર આરોપીઓને શોધવા માટે કામગીરી તેજ કરી રહી છે. સરકાર તરફથી નુકસાનગ્રસ્તોને ન્યાય અપાશે અને પૂરતી ભરપાઈ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel