આગામી મરાઠી ફિલ્મ ’ખાલિદ કા શિવાજી’માં છત્રપતિ શિવાજી મહારાજ વિશે ઐતિહાસિક રીતે ખોટી, તથ્યહીન અને વિકૃત માહિતી આપીને સમગ્ર જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. આ વિકૃત પ્રચારને કારણે તમામ શિવપ્રેમીઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. જે રીતે ‘‘ઉદયપુર ફાઇલ્સ: કન્હૈયાલાલ ટેલર મર્ડર’’ ચલચિત્રને કારણે મુસ્લિમ સમાજની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોવાથી તેના પર વચગાળાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે જ રીતે ‘‘ખાલિદ કા શિવાજી’’ ફિલ્મ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ હિંદુ જનજાગૃતિ સમિતિએ રાજ્ય અને કેંદ્ર સરકાર સમક્ષ કરી છે.
આ ચિત્રપટમાં શિવાજી મહારાજના સૈન્યમાં ૩૫% મુસ્લિમ સૈનિકો હતા, મહારાજના ૧૧ અંગરક્ષકો મુસ્લિમ હતા, અને રાયગઢ પર મહારાજે મસ્જિદ બનાવી હતી, તેવા વાંધાજનક અને વિકૃત દાવા કરવામાં આવ્યા છે. આ તમામ દાવા ભ્રામક, અપ્રામાણિક અને કોઈપણ ઐતિહાસિક પુરાવા વિના પ્રસારિત કરવામાં આવ્યા છે.
છત્રપતિ શિવાજી મહારાજ હિંદવી સ્વરાજના સંસ્થાપક હતા. તેમણે ધર્મનિષ્ઠ હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરી. તેમણે પોતે પોતાના સાવકા ભાઈ વ્યંકોજી રાજેને લખેલા પત્રમાં સ્પષ્ટ ઉલ્લેેખ કર્યો છે કે, ‘‘તુર્ક ફૌજેત ઠેવિલે, મગ જય કૈસા હોઈલ?’’ (જો તુર્ક સેનામાં રાખવામાં આવે, તો વિજય કેવી રીતે થશે?) આથી આ ચલચિત્રમાં શિવાજી મહારાજને ‘સેક્યુલર’ પુરવાર કરવાનો જાણીજોઈને કરાયેલો પ્રયાસ ઇતિહાસના નામે સમાજમાં ગુંચવણ ઊભો કરનારો છે. છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં કોઈ જ્ઞાતિગત વસ્તીગણતરી નહોતી. આવી સ્થિતિમાં ૩૫% મુસ્લિમ સૈનિકો હોવાનો દાવો કયા આધારે કરવામાં આવી રહ્યો છે? તેવો સવાલ સમિતિએ ઉઠાવ્યો છે.
જો મુસ્લિમ સમાજને ખરેખર છત્રપતિ શિવાજી મહારાજ પ્રત્યે પ્રેમ હોત, તો પાંચ મુસલમાન બાદશાહીઓએ તેમને ખતમ કરવાનું બીડું ન ઉઠાવ્યું હોત અથવા છત્રપતિ સંભાજી મહારાજને અત્યંત ક્રૂરતાપૂર્વક માર્યા ન હોત. વર્તમાન સમયમાં પણ જો મુસલમાન સમાજને શિવાજી મહારાજ પ્રત્યે આદર હોત, તો યવત (તા. દૌંડ, જિ. પુણે) ખાતે થયેલી હિંસામાં ’સૈયદ’ નામના ધર્માંધ વ્યક્તિએ છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ તોડી ન હોત. આથી, ‘‘ખાલિદ કા શિવાજી’’ આ ચલચિત્ર હિંદુ સમાજમાં ભ્રમ પેદા કરનારું અને શિવાજી મહારાજનું ખોટું ચિત્રણ કરનારું છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૯(૨) અને ભારતીય દંડ સંહિતા કલમ ૨૯૫ (અ) અનુસાર, ‘‘છત્રપતિ શિવાજી મહારાજનું વિકૃત ચિત્રણ જનતાની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારું, તેમજ કાયદો અને સુવ્યવસ્થાનો પ્રશ્ન ઊભો કરનારું પુરવાર થઈ શકે છે.’’ અગાઉ પણ ‘પદ્માવત’, ‘જોધા અકબર’ જેવા ચલચિત્રોના સમયે આવા જ પ્રકારના વિકૃત ઇતિહાસને કારણે જનઆક્રોશ નિર્માણ થયાના ઉદાહરણો છે. આ પષ્ઠભૂમિ પર ‘ખાલિદ કા શિવાજી’ આ ચલચિત્ર પર જ્યાં સુધી તેમાં રહેલી ઐતિહાસિક માહિતીનું અધિકૃત સત્યાપન ન થાય ત્યાં સુધી પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ હિંદુ જનજાગૃતિ સમિતિએ કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel