ભારતમાં યોજાનારા ICC T20 વર્લ્ડકપ 2026ને લઈને પાકિસ્તાને ફરી એકવાર વિવાદાસ્પદ વલણ અપનાવ્યું છે. રવિવારે પાકિસ્તાન સરકારે પોતાના સત્તાવાર X (ટ્વિટર) હેન્ડલ પરથી જાહેરાત કરી હતી કે પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેશે, પરંતુ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચમાં રમશે નહીં. એટલે કે, પાકિસ્તાન સમગ્ર ટુર્નામેન્ટમાં તો રમશે, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચોથી દૂર રહેશે. આ જાહેરાત સાથે પાકિસ્તાને એક તરફ ભાગ લેવાની તૈયારી બતાવી છે તો બીજી તરફ ભારત સામે રમવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે, જેના કારણે ક્રિકેટ જગતમાં ફરી ચર્ચા અને રાજકીય રંગ જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાનના આ નિર્ણય પર હવે BCCIની પહેલી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. BCCIના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ જણાવ્યું કે, “જ્યાં સુધી ICC સાથે સત્તાવાર વાતચીત નહીં થાય ત્યાં સુધી BCCI કોઈ નિર્ણય લેશે નહીં. ICCએ સ્પોર્ટસમેનશિપને લઈને એક મોટું નિવેદન જારી કર્યું છે અને અમે ICCના અભિપ્રાય સાથે સંપૂર્ણપણે સંમત છીએ. ICC સાથે ચર્ચા કર્યા વિના આ મામલે BCCI કોઈ ટિપ્પણી કરશે નહીં.” ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની આ હાઈ-વોલ્ટેજ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે યોજાવાની હતી, પરંતુ પાકિસ્તાન સરકારે ટીમને કેટલીક શરતો સાથે જ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપી છે, જેમાં ભારત સામે મેચ ન રમવાની શરત પણ સામેલ છે.
#WATCH | Delhi: On Pakistan to boycott its match against India in the ICC Men’s T20 World Cup 2026, BCCI vice president and Congress MP Rajeev Shukla says, "ICC has issued a big statement, they have spoken about sportsmanship. We completely agree with the ICC. BCCI won't make any… pic.twitter.com/qRgwHzgDls
— ANI (@ANI) February 2, 2026
આ સમગ્ર મામલે પાકિસ્તાનનું વલણ બાંગ્લાદેશના તાજેતરના નિર્ણય બાદ વધુ ચર્ચામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણો બતાવીને ભારતમાં રમવાનો ઇન્કાર કર્યો હતો, જેના પરિણામે બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું અને તેના સ્થાને સ્કોટલૅન્ડને તક આપવામાં આવી છે. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નક્વીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી અને પાકિસ્તાન સતત બાંગ્લાદેશના સમર્થનમાં ટુર્નામેન્ટના બહિષ્કારની વાતો કરતું રહ્યું હતું. હવે, ટુર્નામેન્ટ શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાકિસ્તાને ભારત સામે મેચ ન રમવાનો નિર્ણય લઈને ફરી એક નવું નાટક શરૂ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel