સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળ માઇગ્રન્ટ વર્કર્સ વેલ્ફેર બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર મહત્વપૂર્ણ ટિપ્પણીઓ સાથે નિર્ણય આપ્યો, જેમાં બંગાળી ભાષી સ્થળાંતરિત શ્રમિકોની ગેરકાયદેસર અટકાયત અને તેમને બાંગ્લાદેશમાં ‘પુશ-બેક’ કરવાની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. અરજદાર પક્ષે દલીલ કરી કે ગૃહ મંત્રાલયના મે 2025ના પરિપત્રના આધારે કેટલાક રાજ્યોમાં બંગાળી બોલતા મજૂરોને ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાના શંકા પર અટકાવવામાં આવે છે, તેમને યાતનાઓ આપવામાં આવે છે અને ઘણી વખત દસ્તાવેજો હોવા છતાં તેમની ઓળખ સ્વીકારવામાં આવતી નથી. અરજદાર પક્ષના વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે અમને ચકાસણીનો વિરોધ નથી, પરંતુ ચકાસણી દરમિયાન કોઈને અટકાવવામાં ન આવે તે જરૂરી છે, કારણ કે ઘણા પ્રમાણિક ભારતીય નાગરિકો આ કાર્યવાહીથી હેરાન થાય છે.
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું કે વાસ્તવિક પરિસ્થિતિને અવગણવામાં નહીં આવે. કોર્ટએ પૂછ્યું કે જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશે તો તેની સાથે કાયદા અનુસાર વ્યવહાર કેવી રીતે થવો જોઈએ? જો અટકાયત ન કરવામાં આવે તો તે લોકો ગુમ થઈ શકે છે, જે કાયદો અમલ કરનાર તંત્ર માટે મુશ્કેલી ઉભી કરે છે. સાથે જ કોર્ટએ એ પણ સ્વીકાર્યું કે પ્રમાણિક મજૂરોની ઓળખ માટે અસરકારક પ્રણાલી હોવી જોઈએ, જેમ કે મૂળ રાજ્યમાંથી જારી કરાયેલ માન્ય ઓળખકાર્ડ, જેને અન્ય રાજ્યોમાં પણ સ્વીકારવામાં આવે.
“What if an infiltrator enters illegally? If you don’t detain, the writing on the wall is that they will disappear,” the Supreme Court remarked today, declining an interim stay on the detention of Bengali Muslim migrants during nationality verification#SupremeCourt pic.twitter.com/hp0L37qkjv
— Bar and Bench (@barandbench) August 14, 2025
અરજદાર પક્ષે કેન્દ્ર સરકારને ગૃહ મંત્રાલયનું મે 2025નું પરિપત્ર પાછું ખેંચવા તથા રાજ્યોને બંગાળી ભાષી મજૂરોની ગેરકાયદેસર અટકાયત અટકાવવા આદેશ આપવા વિનંતી કરી હતી. જો કે, બેન્ચે તાત્કાલિક કોઈ સ્ટે આપવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે પહેલા કેન્દ્ર તથા નવ રાજ્યો—ઓડિશા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને પશ્ચિમ બંગાળ—ના જવાબો આવવા જોઈએ.
કોર્ટએ આ તમામ રાજ્યો અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને પોતાના જવાબ 25 ઑગસ્ટ સુધીમાં દાખલ કરવા કહ્યું છે, જે દિવસે કેસની આગામી સુનાવણી યોજાશે. કોર્ટનો મત એવો રહ્યો કે ગેરકાયદેસર પ્રવેશ કરનારા લોકો સામે કાયદેસર પગલાં લેવાની છૂટ રાજ્યોને હોવી જોઈએ, પરંતુ સાથે સાથે પ્રમાણિક નાગરિકોના અધિકારોનું પણ સંરક્ષણ થવું જરૂરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel