ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ‘વિઝન ડોક્યુમેન્ટ 2047’ પરની ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની ધારાસભ્ય પૂજા પાલે ખુલ્લેઆમ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નીતિઓ અને કાર્યશૈલીની પ્રશંસા કરતા તેમને ન્યાય અપાવનાર નેતા તરીકે રજૂ કર્યા હતા. પૂજા પાલે જણાવ્યું કે, “બધાને ખબર છે કે મારા પતિને કોણે માર્યો… મુખ્યમંત્રીનો આભાર માનું છું કે તેમણે મારી વાત સાંભળી અને જ્યારે કોઈએ ન્યાય ન આપ્યો ત્યારે તેમણે મને ન્યાય અપાવ્યો. પ્રયાગરાજમાં ઝીરો ટોલરન્સ નીતિઓ અમલમાં લાવી તેમણે મારા જેવી અનેક મહિલાઓને ન્યાય આપ્યો, જેના કારણે અતીક અહેમદ જેવા ખતરનાક ગુનેગારોનો અંત આવ્યો.” તેમણે વધુમાં ઉમેર્યું કે આજે આખું રાજ્ય મુખ્યમંત્રી પર વિશ્વાસ કરે છે અને તેમના પગલાંએ ગુનેગારો સામે કડક સંદેશ મોકલ્યો છે.
#WATCH | Lucknow, UP | Addressing during the 24-hour marathon discussion on 'Vision Document 2047' in the UP Assembly, Samajwadi Party MLA Pooja Pal says, "… Chief Minister Yogi Adityanath gave justice to many women like me by bringing in policies such as zero tolerance that… pic.twitter.com/fN0Agp2nka
— ANI (@ANI) August 14, 2025
આ નિવેદનો બાદ સમાજવાદી પાર્ટીએ પૂજા પાલ પર “પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ” અને “ગંભીર અનુશાસનહીનતા”ના આરોપ મૂકી તેમને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો. પાર્ટીએ સત્તાવાર પત્ર જાહેર કરીને જણાવ્યું કે પૂજા પાલને સમાજવાદી પાર્ટીના તમામ પદોથી પણ દૂર કરવામાં આવે છે અને હવે તેઓ કોઈપણ પાર્ટી કાર્યક્રમ, સભા અથવા બેઠકમાં ભાગ લઈ શકશે નહીં, ન તો તેમને આમંત્રણ આપવામાં આવશે. પાર્ટીના આ પગલાંને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે, કારણ કે આ ઘટના એ દર્શાવે છે કે વિપક્ષી નેતાઓ દ્વારા સત્તાધારી પક્ષની પ્રશંસા કરવી આંતરિક રાજકીય તણાવ અને શિસ્તભંગના આરોપોને જન્મ આપી શકે છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel