નર્મદા જિલ્લામાંથી ભાગ લેનારા જી પંડાલ પૈકી એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરી રાજ્યકક્ષાએ મોકલાશે.
સમગ્ર રાજ્યના ૨૯ જિલ્લાઓમાંથી ગણેશ સ્થાપનાથી વિસર્જન સુધી પસંદગી પામેલાં ગણેશ પંડાલોમાંથી શ્રેષ્ઠ ૩ વિજેતા પંડાલને તેમજ અન્ય પાંચને પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવશે.
મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં તા.૨૯થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સ્પોર્ટ્સ ડેની ઉજવણી વિવિધ રમત હરિફાઈથી કરાશે.
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરનાં કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે નર્મદા જિલ્લા સહિત ગુજરાતના કુલ ૨૯ જિલ્લા મથકોએ ગણપતિ ઉત્સવ દરમ્યાન શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા નક્કી કરાયેલા ધારાધોરણો પ્રમાણે યોજાનાર છે. જેની વિગતવાર માહિતી આપવા અર્થે નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મીડિયા સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડે જણાવ્યું કે, સમગ્ર રાજ્યના 29 જિલ્લાનો સમાવેશ કરીને યોજાનારી આ સ્પર્ધામાં ગણેશ પંડાલનાં મંડપ શણગાર, સામાજિક સંદેશો, ગણેશજીની પ્રતિમાની પસંદગી( ઇકો ફ્રેન્ડલી), ઓપરેશન સિન્દુર – દેશ ભક્તિ, સ્વદેશી વસ્તુઓ, પંડાલ સ્થળની પસંદગી, સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી, ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર સામાજિક પ્રવૃત્તિઓ(બ્લડ ડોનેશન સહિત)ને ધ્યાનમાં રાખી જિલ્લામાંથી સ્થાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા જિલ્લાની એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરી તેની સમગ્ર વિગતો કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરને મોકલવામાં આવશે.
કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર ખાતે રાજ્યનાં કુલ ૨૯ જિલ્લાઓમાંથી પસંદગી પામેલા પંડાલોમાંથી રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ ૩ વિજેતા તેમજ અન્ય પાંચ સહભાગીઓને પ્રોત્સાહક પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવશે.
આ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે નર્મદા જિલ્લાના ગણેશ મંડળોને નિયત ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નંબર-૨૧૭, જિલ્લા સેવા સદન, રાજપીપલા ખાતેથી ગણેશ પંડાલનું આયોજન કરતાં આયોજકઓએ મેળવી લઈ તા.૨૮/૦૮/૨૦૨૫ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમા કચેરીમાં પરત જમાં કરાવવાનું રહેશે અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
ઉપરાંત પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટરએ જણાવ્યું હતું કે, “મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે તા.૨૯થી ૩૧મી ઓગસ્ટ દરમિયાન સ્પોર્ટ્સ-ડેની જિલ્લામાં વિવિધ રમતો રમાડીને ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ-સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં તમામ જિલ્લાવાસીઓને સહભાગી થવા પણ અનુરોધ કર્યો હતો.”
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં નાંદોદના પ્રાંત અધિકારી સુ પરસનજીત કૌર, નાયબ કલેક્ટર સુ વિધુ ખૈતાન, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, રાજપીપલા શહેર પોલીસ મથકના પીઆઈ વી.કે.ગઢવી અને પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel