આ વર્ષે નવરાત્રિ મહોત્સવ દરમિયાન પાવાગઢ યાત્રાધામ ખાતે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દર્શન અને આરતીના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યા છે. દર વર્ષે લાખો ભક્તો માતાજીના દર્શન કરવા પધારે છે, જેથી ભીડનું સંચાલન સરળ બને, સૌને આરામથી આરતી-દર્શનનો આનંદ મળી રહે અને સુરક્ષાનું પાલન થાય તે માટે પાવાગઢ ટ્રસ્ટે ખાસ આયોજન ઘડ્યું છે.
કાર્યક્રમ અનુસાર, પ્રથમ નોરતાના દિવસે નિજ મંદીર સવારે 5:00 વાગ્યે ભક્તો માટે ખુલશે અને રાત્રે 8:00 વાગ્યે મંદીરના દ્વાર બંધ થશે. બીજા નોરતા થી લઈને ચોથા નોરતા સુધી મંદિરના દ્વાર દર્શન માટે સવારે 6:00 વાગ્યે ખુલશે અને રાત્રે 8:00 વાગ્યે બંધ થશે. પાંચમા નોરતાના દિવસે ફરીથી વહેલા દર્શન માટે મંદિર સવારે 5:00 વાગ્યે ખુલશે અને રાત્રે 8:00 વાગ્યે બંધ રહેશે. છઠ્ઠા નોરતાના દિવસે વિશેષ ભીડને ધ્યાનમાં રાખી મંદિર સવારે 4:00 વાગ્યે જ ખુલશે, જેથી ભક્તોને વહેલા સમયથી દર્શનનો લાભ મળી શકે. સાતમ અને આઠમ નોરતા દરમિયાન મંદીર સવારે 5:00 વાગ્યે ખુલશે અને 8:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જ્યારે નોમ અને દશમના નોરતા પર મંદિરના દ્વાર સવારે 6:00 વાગ્યે ખુલશે અને રાત્રે 8:00 વાગ્યે બંધ થશે.
આ રીતે નવરાત્રિના દસેય દિવસ દરમિયાન સમયગાળા મુજબ ફેરફારો કરીને ટ્રસ્ટે ભક્તો માટે સુવ્યવસ્થિત કાર્યક્રમ ગોઠવ્યો છે. આ ફેરફારોને કારણે ભીડનું સંચાલન સરળ બનશે, આરતી દરમિયાન સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહેશે અને દૂર દૂરથી આવતા ભક્તોને માતાજીના દર્શન માટે પૂરતો સમય અને તક મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel