શુક્રવારે (22 ઑગસ્ટ) બિહારના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશાળ જનસભાને સંબોધિત કરતાં ઘૂસણખોરી અને ડેમોગ્રાફી પરિવર્તનના ગંભીર મુદ્દાને ખૂબ જ આક્રમક અંદાજમાં ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે બિહારમાં, ખાસ કરીને સરહદી જિલ્લાઓમાં, ઘૂસણખોરોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને તેના કારણે ડેમોગ્રાફીક માળખું બદલાઈ રહ્યું છે, જે રાજ્ય અને દેશ બંને માટે ચિંતાનો વિષય છે. લાલ કિલ્લા પરથી આપેલા પોતાના સંદેશનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે આ જોખમ માત્ર ઉત્તરપૂર્વ કે બંગાળ પૂરતું નથી, પણ બિહાર પણ તેની અસરથી અછૂતું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે NDA સરકાર ઘૂસણખોરોને કોઈ પણ પરિસ્થિતિમાં દેશનું ભવિષ્ય નક્કી કરવાની છૂટ નહીં આપે અને બિહારના યુવાઓના રોજગાર અને અધિકારો પર ઘૂસણખોરો હાથ નહીં મૂકી શકે. “જે અધિકારો ભારતીય નાગરિકોના છે, તેને આંચકી લઈને ઘૂસણખોરોને ક્યારેય નહીં આપી શકાય” એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું.
#WATCH | PM Narendra Modi says, "… The increasing population of illegal immigrants in the country is a matter of concern. In the bordering areas of Bihar, demography is rapidly changing. The NDA government has decided not to let illegal immigrants decide the future of our… pic.twitter.com/XgHGCQUKm9
— ANI (@ANI) August 22, 2025
પીએમ મોદીએ આગળ જણાવ્યું કે આ ખતરાને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે ‘ડેમોગ્રાફી મિશન’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે ખૂબ જલ્દી કાર્યરત થશે. આ મિશનનો હેતુ દેશની અંદર પ્રવેશેલા દરેક ગેરકાયદેસર ઘૂસણખોરોને બહાર કાઢવાનો છે અને રાષ્ટ્રની સુરક્ષા તથા ભવિષ્યને મજબૂત બનાવવા માટે આ પગલું અનિવાર્ય છે. તેમણે લોકોને ચેતવણી આપી કે માત્ર ઘૂસણખોરો જ નહીં, પરંતુ દેશની અંદર એવા રાજકીય પક્ષો અને નેતાઓ પણ ખતરાના કારણ છે, જે ઘૂસણખોરોને સમર્થન આપે છે. કોંગ્રેસ અને RJD જેવી પાર્ટીઓ પર નિશાન સાધતાં મોદીએ કહ્યું કે આ પાર્ટીઓ તુષ્ટીકરણની રાજનીતિ માટે અને પોતાના વોટબેન્ક વધારવા માટે બિહારના નાગરિકોના અધિકારો ઘૂસણખોરોને આપવા તૈયાર છે.
તેમણે બિહારી જનતાને સંદેશ આપ્યો કે આ રાજકીય દળોની નીતિઓથી સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. “બિહારના લોકો સમજી લો કે કોણ તમારા હિતમાં છે અને કોણ ઘૂસણખોરોના પક્ષમાં ઊભું છે,” એમ કહીને મોદીએ જનતામાં ચેતના જગાવી. તેમણે ભાર મૂક્યો કે NDA સરકારનો સંકલ્પ સ્પષ્ટ છે – દેશના દરેક ઘૂસણખોરને બહાર કરીને જ રહેશે અને ભારતના હિત અને સુરક્ષાની સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel