સંયુક્ત રાષ્ટ્રમાં યોજાયેલી અફઘાનિસ્તાન સંબંધિત સુરક્ષા પરિષદની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ભારતે ફરી એક વાર પાકિસ્તાનને આડકતરી રીતે ઘેર્યું અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપી કે અફઘાનિસ્તાનની ધરતી આતંકવાદ માટેના નવા અખાડા તરીકે ઉપયોગમાં લેવાઈ ન જવી જોઈએ. ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પરવથાનેની હરીશે પોતાના નિવેદનમાં ખાસ કરીને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાન સ્થિત સંગઠનો પર આકરા પ્રહાર કર્યા, જે યુનાઈટેડ નેશન્સ દ્વારા ઘોષિત આતંકવાદી સંગઠનો છે. તેમણે જણાવ્યું કે આ સંગઠનો અફઘાનિસ્તાનનો ઉપયોગ પોતાના આતંકવાદી મકસદ માટે કરી રહ્યા છે અને વૈશ્વિક શાંતિને ખતરામાં મૂકી રહ્યા છે.
હરીશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતાના ગાઢ સંબંધો છે અને ભારત હંમેશાં અફઘાનિસ્તાનના વિકાસ અને સમૃદ્ધિની કામના કરે છે. ભારતની ઈચ્છા છે કે અફઘાનિસ્તાન સ્થિરતા અને પ્રગતિના માર્ગ પર આગળ વધે, પરંતુ તેના માટે સૌથી પહેલા આતંકવાદના તંત્રને નાબૂદ કરવું જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઇસ્લામિક સ્ટેટ (IS), અલ-કાયદા, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને અફઘાનિસ્તાનનો ઉપયોગ અટકાવવા માટે સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયે એકમત થઈને પગલાં લેવાની જરૂર છે.
PR @AmbHarishP delivered India’s statement at the quarterly UNSC meeting on Afghanistan.
He highlighted:
➡️ 🇮🇳 and 🇦🇫 share a civilizational relationship.
➡️ 🇮🇳 has paramount interest in 🇦🇫’s peace and stability and is actively engaging with regional and… pic.twitter.com/FZFi9UKsvv
— India at UN, NY (@IndiaUNNewYork) September 18, 2025
પાકિસ્તાનનું નામ લીધા વિના ભારતે આકરા શબ્દોમાં સંકેત આપ્યો કે અફઘાનિસ્તાનની અસ્થિરતાને જાળવી રાખવામાં કેટલાક દેશોનું સીધું હિત છે અને જો આ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ ન મૂકવામાં આવે તો તેનો ફટકો આખા દક્ષિણ એશિયા ક્ષેત્રને ભોગવવો પડશે. ભારતે અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવા માટે પ્રાદેશિક તેમજ વૈશ્વિક સહકારના માધ્યમથી આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
ભારત દ્વારા આપવામાં આવેલી માનવતાવાદી સહાય પર ભાર મૂકતાં હરીશે જણાવ્યું કે તાજેતરના વિનાશકારી ભૂકંપ બાદ ભારતે તરત જ 1000 પરિવારો માટે તંબુ, 15 ટન ખાદ્ય સામગ્રી, દવાઓ, ધાબળા અને જનરેટર સહિત કુલ 21 ટન રાહત સામગ્રી અફઘાનિસ્તાન મોકલી હતી. 2021માં તાલિબાનના કબજાની ઘડીએ પણ ભારતે માનવતાની ભાવનાથી 50,000 ટન ઘઉં, 330 ટન દવાઓ, રસી, 40,000 લિટર કીટનાશક અને અન્ય આવશ્યક સામગ્રી પહોંચાડી હતી.
આ ઉપરાંત, હરીશે યાદ અપાવ્યું કે ભારતે અફઘાનિસ્તાનના તમામ પ્રાંતોમાં 500થી વધુ વિકાસપ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે, જેમાં શાળાઓ, હોસ્પિટલો, માર્ગો, વીજળી પુરવઠો અને સામાજિક સુવિધાઓના પ્રોજેક્ટ સામેલ છે. તેમણે જણાવ્યું કે હવે જૂની નીતિઓ પર ચાલવાથી અફઘાનિસ્તાન આગળ નહીં વધી શકે, પરંતુ નવી દિશા, નવી મદદ અને મજબૂત આંતરરાષ્ટ્રીય સહયોગથી જ અફઘાન લોકો ગરીબી, ભૂખમરો અને અસુરક્ષામાંથી બહાર આવી શકે છે.
તેમણે અંતમાં સ્પષ્ટ કર્યું કે ભારત હંમેશા અફઘાનિસ્તાનના લોકોની પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે અને તે માટે તમામ પક્ષો સાથે મળીને કામ કરવા તૈયાર છે, જેથી અફઘાનિસ્તાન ફરીથી આતંકવાદીઓના અડ્ડામાં ન ફેરવાય પરંતુ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિનું કેન્દ્ર બને.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel