અફગાનિસ્તાનમાં રવિવારની રાત્રે આવેલા 6.3ની તીવ્રતાવાળા ભૂકંપે ભયાનક તારાજી મચાવી છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 2800થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. અફગાનિસ્તાનની તાલિબાન સરકારે આ દુર્ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી આંતરરાષ્ટ્રીય સહાયની માંગ કરી છે. ભૂકંપની અસર ખાસ કરીને કુનાર પ્રાંતમાં સૌથી વધુ જોવા મળી છે, જ્યાં અનેક ગામડા પૂરેપૂરા ખંડેરમાં પરિવર્તિત થઈ ગયા છે. નૂર ગુલ, સોકી, વાટપુર, મનોગી અને ચાપાદરે જેવા વિસ્તારોમાં પણ ભારે જાનહાનિ અને મિલકતનું નુકસાન થયું છે.
રિપોર્ટ્સ અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર જલાલાબાદ શહેરથી આશરે 27 કિલોમીટર પૂર્વ-ઉત્તર-પૂર્વમાં હતું. ભૂકંપ બાદ બીજા દિવસે પણ ઓછી તીવ્રતાવાળા ઝટકાઓ આવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. હાલ સ્થાનિક પ્રશાસન સાથે સંયુક્ત રાષ્ટ્રની રાહત ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ છે. અત્યાર સુધી 40થી વધુ ફ્લાઈટ્સ મારફતે ઘાયલ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનાથી થયેલી જાનહાનિ પર ઊંડું શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં તેમણે લખ્યું કે, “અફગાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં થયેલી જાનહાનિથી ખૂબ દુઃખ થયું છે. આ કપરા સમયમાં અમારા વિચારો અને પ્રાર્થનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. ભારત અફગાનિસ્તાનને શક્ય તેટલી માનવીય સહાય અને રાહત પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.”
Deeply saddened by the loss of lives due to the earthquake in Afghanistan. Our thoughts and prayers are with the bereaved families in this difficult hour, and we wish a speedy recovery to the injured. India stands ready to provide all possible humanitarian aid and relief to those…
— Narendra Modi (@narendramodi) September 1, 2025
આવી પરિસ્થિતિમાં અફગાનિસ્તાનને પડોશી દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી સહાય મળવી અત્યંત જરૂરી છે, જેથી અસરગ્રસ્ત લોકોને ફરીથી જીવન જીવવાની તાકાત મળી રહે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel