ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના ફ્રેઝરગંજ સ્ટેશન દ્વારા 22 જાન્યુઆરીના રોજ દરિયાકાંઠા સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે એક મહત્વપૂર્ણ ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન બાંગ્લાદેશ તરફથી ભારત તરફ ગેરકાયદેસર સોપારી લાવતી ભારતીય માછીમારી બોટ IFB લક્ષ્મીનારાયણને પકડવામાં આવી હતી.
ઓપરેશનને સફળ બનાવવા માટે ICGને મળીેલી ગુપ્તચર માહિતી અનુસાર બોર્ડિંગ ટીમને તરત જ નિર્ધારિત સ્થળે મોકલવામાં આવ્યું હતું, જ્યાં છોડી દેવામાં આવેલી માછીમારી બોટ મળી આવી અને તેને જપ્ત કરવામાં આવ્યું. બોટની સઘન તપાસ દરમિયાન અંદરથી 50 કિલોગ્રામ વજનના 52 કોથળા સોપારી મળી આવ્યા, જેનું કુલ વજન 2,600 કિલોગ્રામ હતું. પકડાયેલી IFB લક્ષ્મીનારાયણને બાદમાં ફ્રેઝરગંજ સ્ટેશન પર લાવી બેનફિશ ફિશિંગ જેટી પર બર્થ કરવામાં આવી હતી. બોટ તથા જપ્ત કરાયેલા દાણચોરીના માલને આગળની કાનૂની કાર્યવાહી માટે કોસ્ટલ પોલીસ સ્ટેશન, ફ્રેઝરગંજને સોંપવામાં આવ્યું છે.
ICG દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં એ પણ જણાવાયું છે કે, દરિયાકાંઠા અને સમુદ્રી વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ખાસ કરીને દાણચોરી, રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક હિતને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, ભારતીય કોસ્ટ ગાર્ડ અન્ય સમુદ્રી સુરક્ષા એજન્સીઓ સાથે સંકલિત રીતે સતત ઊંચી ચેતવણી જાળવી રાખે છે અને દરિયાકાંઠા પર સક્રિય રાઉન્ડ કરીને રાષ્ટ્રવિરોધી તત્વો (ANES) દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે સતત કાર્યરત રહે છે. આ ઓપરેશન દ્વારા સ્પષ્ટ થઈ ગયું છે કે ICG માત્ર સમુદ્રી સુરક્ષા જ નહીં, પણ દેશની આર્થિક અને રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે પણ પ્રતિબદ્ધ છે અને તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત પગલાં લેવા માટે તત્પર રહે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel