રાજધાની દિલ્લીમાં મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં ‘દૃષ્ટાંત કી દીપમાળા’ અને ‘માનસ રામયાત્રા’ પ્રકાશનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
મોરારિબાપુ દ્વારા યોજાયેલ રામકથા આધારિત કથા પ્રસંગ પ્રકાશનોનું મહાનુભાવો અગ્રણીઓની ઉપસ્થિતિ સાથે વ્યાસપીઠ પરથી લોકાર્પણ કરવામાં આવ્યું છે.
જયદેવ માંકડ સંપાદિત ‘દૃષ્ટાંત કી દીપમાળા’ અને નીતિનભાઈ વડગામા સંપાદિત ‘માનસ રામયાત્રા’ પ્રકાશનો વ્યાસપીઠ પરથી મોરારિબાપુના હસ્તે લોકાર્પણ વિધિ વેળાએ લોકેશ મુનીજી સનાતની, પ્રકાશક પ્રભાત કુમાર અને નીતિનભાઈ વડગામા સાથે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, ક્થા પરિવારના રૂપેશ વ્યાસ અને નિલેશભાઈ વાવડિયા જોડાયા હતા.
આ પ્રસંગે નીતિનભાઈ વડગામાએ પ્રકાશન સંબંધી વાત કરી આ પ્રકાશનો વેચાણ માટે નહી પણ પ્રસાદ રૂપ વિતરણ કરવાનો હોવાના મોરારિબાપુના અભિગમનો ઉલ્લેખ કર્યો હતો.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel