રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત હાલ બીજીવાર કેરળની મુલાકાતે છે, જ્યાં તેમણે એક મહત્વપૂર્ણ ભાષણ આપ્યું છે. તેમણે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા આયોજિત “શિક્ષણ સંમેલન – જ્ઞાન સભા“માં હાજરી આપી અને ભારતની ભવિષ્યદ્રષ્ટિ, શક્તિ, સંસ્કૃતિ અને શિક્ષણના મુદ્દાઓ પર પોતાની સ્પષ્ટ વાત મૂકી.
ભાગવતએ જણાવ્યું કે, “હવે ભારતને ફરી ‘સોનાની ચિડિયા’ બનવાનું નથી, પણ સિંહ બનવાનું છે,” કારણ કે આજનું વિશ્વ માત્ર સમૃદ્ધિ નહીં પણ શક્તિની ભાષા વધુ સારી રીતે સમજે છે. તેમણે ભારતને વિકસિત અને શક્તિસંપન્ન રાષ્ટ્ર તરીકે ઊભું કરવાનું આહ્વાન કર્યું અને ઉમેર્યું કે આવું ભારત વિશ્વ ગુરુ બની શકે – પણ એ યુદ્ધનું કારણ નહિ બને, પરંતું શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક રહેશે.
તેમણે ભારતના નાંમ વિષે પણ સ્પષ્ટ અભિગમ રજૂ કર્યો અને કહ્યું કે “ભારત” એ માત્ર નામ નથી, તે એક વ્યક્તિવાચક સંજ્ઞા છે જેને અનુવાદ ન કરવો જોઈએ, અને હંમેશા ‘ભારત’ તરીકે જ ઓળખવુ જોઈએ.
#WATCH | Kochi, Kerala: RSS Chief Mohan Bhagwat, says, "…Bharat is a proper noun. It should not be translated. 'India that is Bharat' is true. But Bharat is Bharat, and that is why, while writing and speaking, we should keep Bharat as Bharat… Bharat must remain Bharat. The… pic.twitter.com/J2J3upetSG
— ANI (@ANI) July 27, 2025
ભાગવતે શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકતા કહ્યું કે, દરેક વ્યક્તિએ એવું શિક્ષણ મેળવવું જોઈએ કે તે આત્મનિર્ભર બની શકે અને પોતાના દમ પર જીવી શકે. શિક્ષણ માત્ર રોજગાર મેળવવાનું સાધન ન હોવું જોઈએ, પણ એવું શિક્ષણ હોવું જોઈએ કે જે વ્યક્તિને નૈતિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે મજબૂત બનાવે. તેમણે જણાવ્યું કે, “મનુષ્ય પાસે ભગવાન અથવા રાક્ષસ બનવાનો વિકલ્પ હોય છે – જો વ્યક્તિ બીજાનું નાશ કરે તો તે રાક્ષસ બને છે, અને જો સમાજનું કલ્યાણ કરે તો તે ભગવાન બને છે.” શિક્ષણ જ એ માર્ગ છે જે માણસને સાચી દિશા આપે છે.
મોહન ભાગવતનો આ પ્રવાસ કેરળમાં RSSની પ્રવૃત્તિઓ માટે વ્યૂહાત્મક રીતે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં પણ તેઓ કેરળ આવ્યા હતા, જ્યાં તેમણે આયરુર સ્થિત ચેરુકોલપુઝા હિન્દુમઠા પરિષદને સંબોધિત કર્યું હતું – જે 1913માં ચટ્ટાંબી સ્વામિકલ દ્વારા સ્થાપિત રાજ્યની સૌથી મોટી હિન્દુ આધ્યાત્મિક પરિષદ છે. તે પ્રસંગે પ્રથમ વખત કોઈ RSS પ્રમુખે પરિષદને સંબોધિત કર્યું હતું.
#WATCH | Kochi, Kerala: RSS Chief Mohan Bhagwat, says, "…Viksit Bharat, Vishwa Guru Bharat, will not be the cause of war even now, will never exploit. We have gone from Mexico to Siberia, we walked on foot, and we went in small boats. We did not invade anyone's territory and… pic.twitter.com/DzbLfeFkyw
— ANI (@ANI) July 27, 2025
આ વર્ષે એક જ પખવાડિયામાં મોહન ભાગવતની કેરળની બીજી મુલાકાત દર્શાવે છે કે RSS હવે દક્ષિણ ભારત, ખાસ કરીને કેરળમાં સંગઠનનાં કાર્ય વિસ્તારીને જાગૃતિ લાવવા માટે ગતિશીલ છે. આ પ્રવાસ સાથે સંઘના મિશન અને શૈક્ષણિક-સાંસ્કૃતિક મૂલ્યોને વધુ મજબૂતી મળતી હોવાનું માનવામાં આવે છે.