ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સફળતા મેળવી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા UAV (અનમેનડ એરિયલ વ્હીકલ) દ્વારા છોડી શકાય તેવી નવી પેઢીની મિસાઈલ ULPGM-V3 નું સફળ પરીક્ષણ આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લાના નેશનલ ઓપન એરિયા રેન્જ (NOAR) ખાતે કરવામાં આવ્યું. ULPGM એટલે કે UAV-લોંચ્ડ પ્રિસિઝન ગાઈડેડ મિસાઈલ નો આ V3 વર્ઝન DRDOની ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવેલ છે અને તે ભારતની મિસાઈલ ટેક્નોલોજીમાં એક મહત્વપૂર્ણ છે.
ULPGM-V3 એ અગાઉના V2 વર્ઝનનું વધારે આધુનિક અને ક્ષમશાળી રૂપ છે. જ્યારે V2 માં વિવિધ પ્રકારના વોરહેડ લગાવવાની સુવિધા હતી, ત્યારે V3 એ વધુ ઊંચી ટેકનોલોજી સાથે સજ્જ છે. તેમાં ઇમેજિંગ ઇન્ફ્રારેડ સીકર, ડ્યુઅલ થ્રસ્ટ પ્રોપલ્શન સિસ્ટમ, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ, GPS સ્પૂફિંગ રિઝિસ્ટન્ટ નેવિગેશન, અને લેસર-માર્ગદર્શન આધારિત નિશાનવિધ્વંસ ટેકનિક જેવી આધુનિક તંત્રોનો સમાવેશ થાય છે. આ નવી ટેક્નોલોજી મિસાઈલને વધુ સચોટ બનાવે છે અને 4 કિલોમીટર સુધીના લક્ષ્ય પર ખૂબ જ અસરકારક રીતે હુમલો કરવાની ક્ષમતા આપે છે.
In a major boost to India’s defence capabilities, @DRDO_India has successfully carried out flight trials of UAV Launched Precision Guided Missile (ULPGM)-V3 in the National Open Area Range (NOAR), test range in Kurnool, Andhra Pradesh.
Congratulations to DRDO and the industry… pic.twitter.com/KR4gzafMoQ
— Rajnath Singh (@rajnathsingh) July 25, 2025
ULPGM-V3 ની ખાસિયત એ છે કે તેને ડ્રોન અથવા UAV દ્વારા લોન્ચ કરી શકાય છે, જેના કારણે તે દુશ્મનનાં રડાર અને નજરથી બચીને ગુપ્ત રીતે લક્ષ્યને ધ્વસ્ત કરી શકે છે. ઓછી ઊંચાઈ અને હલકાં વજનને કારણે આ મિસાઈલ હેલિકોપ્ટર, ડ્રોન અને અન્ય હવાઈ પ્લેટફોર્મ સાથે સરળતાથી અનુકૂળ થાય છે. તે ટાર્ગેટ પર બિનવિફળ હુમલો કરી શકે છે – ખાસ કરીને હાઈવે, વાહન કાફલાઓ, બંકર કે ચોકીના સ્વરૂપમાં રહેલા દુશ્મનના ટાર્ગેટ્સ પર.
આ સફળ પરીક્ષણના અનુસંધાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDO અને તેના ભાગીદારોને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે, “ULPGM-V3 ના સફળ ફ્લાઇટ ટ્રાયલથી ભારતની આત્મનિર્ભર સંરક્ષણ તકનીકોને બળ મળ્યું છે. DRDO, તેના ઔદ્યોગિક સહયોગીઓ, MSMEs અને સ્ટાર્ટઅપ્સ હવે વિશ્વસ્તરે સ્પર્ધા કરી શકે તેવી સંરક્ષણ ક્ષમતા ધરાવે છે.”
ULPGM-V3 એ માત્ર ટેકનિકલ સિદ્ધિ જ નથી, પણ તે ભારતના “આત્મનિર્ભર ભારત” અભિયાન માટે પણ એક મજબૂત પગથિયો છે. આ મિસાઈલના ઉપયોગથી ભવિષ્યના યુદ્ધ સંજોગોમાં ભારતીય સેનાને વધુ શક્તિશાળી અને આધુનિક બનવામાં મોટી મદદ મળશે.