ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાંથી પોલીસે બુધવાર, 16 જુલાઈ 2025ના રોજ નકલી મૌલાના મોહમ્મદ યાકુબની ધરપકડ કરીને “ઑપરેશન કલાનેમી” અંતર્ગત મોટી સફળતા મેળવી છે. મળતી માહિતી અનુસાર, મોહમ્મદ યાકુબ પોતાને મૌલાના તરીકે રજૂ કરીને લોકોને ધાર્મિક ભ્રમમાં મૂકતો અને મદરેસાના નામે દાન એકઠું કરતો હતો. તેની સાથે પોલીસે અન્ય સાત વ્યક્તિઓની પણ અટકાયત કરી છે, જેઓ અલગ-અલગ જગ્યાએ સાધુ-સંતો જેવા વેશમાં લોકોને મૂર્ખ બનાવીને છેતરપિંડી કરતા હતા.
દહેરાદૂનના એસએસપી અજય સિંહે જણાવ્યું હતું કે, “ઑપરેશન કલાનેમી” 9 જુલાઈથી શરૂ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં કુલ 121 ઢોંગીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ પણ આવા જ બનાવોમાં મોહમ્મદ સલીમ, મોહમ્મદ જાફર અને હસન શબીર જેવી વ્યક્તિઓ, જેઓ સાધુઓના વેશમાં લોકોને છેતરતા હતા, તેમની ધરપકડ થઈ ચૂકી છે.
मोहम्मद सलीम, मोहम्मद जाफ़र,हसन शाबिर भगवा पहने बाबा बने हुए थे अब ऑपरेशन कालनेमि में गिरफ्तार
अब ये लोग कहीं लड़की छेड़ते भागते और चोरी करते तो नाम किसका बदनाम हित हिंदुओं साधु संतों का #Uttarakhand | #OperationKalnemi |
| #FakeSadhus | #SanatanDharma | #HinduSaints |… pic.twitter.com/muWxGYTQOe
— One India News (@oneindianewscom) July 17, 2025
આ સમગ્ર અભિયાન રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નિર્દેશ પર શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું છે કે ઉત્તરાખંડ ધર્મ અને સંસ્કૃતિનું પવિત્ર ભૂમિ છે અને અહીં સાધુ-સંતોના વેશમાં ઠગાઈ કરતા ઢોંગીઓને બરદાશ્ત નહીં કરવામાં આવે. તેઓએ પોલીસને એવો આદેશ આપ્યો છે કે આવા તમામ ઠગ સામે કડક કાયદાકીય પગલાં લેવાં જોઈએ.
“ઑપરેશન કલાનેમી”નો ઉદ્દેશ એ છે કે સાચા ધાર્મિક પથ પર ચાલતા લોકોની છબિ ખરાબ ન થાય અને લોકો ધાર્મિક સ્થળે વિશ્વાસપૂર્વક જઈ શકે. આવા ઢોંગીઓના પર્દાફાશથી ઉત્તરાખંડ પોલીસની કાર્યવાહી પ્રશંસનીય ગણાઈ રહી છે.