ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રે હવે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં મેગા ડિમોલિશન ઝુંબેશ શરૂ કરી છે. અગાઉ અમદાવાદ શહેર તેમજ અન્ય જિલ્લાઓમાં ચાલી ચૂકેલી દબાણ હટાવ ઝુંબેશ બાદ આજે (18 સપ્ટેમ્બર) વહેલી સવારથી જિલ્લા વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી આ કાર્યવાહી હાથ ધરાઈ છે. સાબરમતી નદીકાંઠાના વિસ્તારો – જેમ કે GEB, પેથાપુર અને ચરેડી –માં વર્ષોથી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ગરીબ પરિવારોના આશરે 700થી વધુ કાચા-પાકા મકાનોને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સુરક્ષાના કડક બંદોબસ્ત માટે 500થી વધુ પોલીસ જવાનોની તૈનાતી સાથે બુલડોઝર અને જેસીબી મશીનોનો ઉપયોગ કરીને મકાનોને તોડી પાડવામાં આવી રહ્યા છે.
Gandhinagar, Gujarat: Over 700 illegal encroachments were removed as part of a mega demolition drive along the Sabarmati river. The district administration, over 500 police personnel, used bulldozers to clear unauthorized structures on government land in Jiabi, Penthapur and… pic.twitter.com/uH5lDR1tsb
— IANS (@ians_india) September 18, 2025
મળતી માહિતી મુજબ, તંત્રએ આ દબાણકારોને અગાઉ નોટિસ આપીને જમીન ખાલી કરવાની ચેતવણી આપી હતી, પરંતુ સમય મર્યાદા પૂરી થવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે બળપ્રયોગથી દબાણો હટાવવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, આ કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ગરીબોના કાચા મકાનોને તોડી પાડવામાં આવી રહ્યા છે, જ્યારે ગાંધીનગરના સેક્ટર-13, 20 અને 24 જેવા વિસ્તારોમાં આવેલા મોટા કોમર્શિયલ બાંધકામો અને પાકા દબાણો સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ કારણે લોકોમાં એવી માન્યતા મજબૂત થઈ રહી છે કે બુલડોઝર માત્ર ગરીબોની વસાહતો પર જ ફરી રહ્યો છે, જ્યારે સમૃદ્ધ વર્ગના દબાણો યથાવત છે.
#WATCH | Gandhinagar, Gujarat | Gandhinagar District Administration and District Police have launched a major demolition drive against illegal encroachments since early morning today. Bulldozing has begun on over 700 encroachments built on large government land in several areas,… pic.twitter.com/hJy9jLJ6Ve
— ANI (@ANI) September 18, 2025
રાજ્ય સરકારનું કહેવું છે કે આ કાર્યવાહી માત્ર સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે છે અને ભવિષ્યમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે. અગાઉ જામનગર, દ્વારકા, રાજકોટ અને કચ્છ જિલ્લામાં પણ આ પ્રકારની મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમ છતાં, ગાંધીનગરમાં વર્ષોથી વસવાટ કરતા અનેક પરિવારો આજે બેઘર બન્યા છે, જેનાથી વિસ્તારમા ચકચાર મચી ગઈ છે અને તંત્રની નીતિ પર ચર્ચા શરૂ થઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel