આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રાજ્યની સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુરુવારે (21 ઑગસ્ટ) યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારે નક્કી કર્યું કે આગામી એક વર્ષ સુધી રાજ્યમાં આધાર કાર્ડ જારી કરવાની પ્રક્રિયા અસ્થાયી રીતે સ્થગિત રાખવામાં આવશે. જોકે, આ નિયમમાં કેટલીક ખાસ છૂટછાટો આપવામાં આવી છે. અનુસૂચિત જનજાતિ (ST), અનુસૂચિત જાતિ (SC) અને ચાના બગીચામાં કામ કરતા શ્રમિકોને આ નિર્ણયથી મુક્તિ આપવામાં આવી છે. આ વર્ગોને જો જરૂરી હોય તો તેઓ આધાર કાર્ડ મેળવી શકશે, પરંતુ બાકી તમામ સમુદાયોના 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને હાલ નવા આધાર કાર્ડ માટે અરજી કરવાની મંજૂરી નહીં મળે.
ANI મુજબ, સીએમ હિમંત બિસ્વા સરમાએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણયનો અમલ આગામી એક વર્ષ માટે કરવામાં આવશે. તેમ છતાં, જો કોઈ વ્યક્તિએ હજી સુધી આધાર કાર્ડ મેળવ્યું નથી તો તેમને સપ્ટેમ્બર મહિનામાં અરજી કરવાની તક મળશે. ત્યારબાદ પ્રક્રિયા એક વર્ષ માટે સંપૂર્ણપણે રોકી દેવાશે. આ પગલું એ ખાતરી કરવા માટે લેવામાં આવ્યું છે કે ગેરકાયદે રીતે આસામમાં પ્રવેશ કરેલા કોઈપણ બાંગ્લાદેશી નાગરિકો આધાર કાર્ડ મેળવી ન શકે.
Guwahati | Assam CM Himanta Biswa Sarma says, " Assam cabinet has today decided that Aadhaar card will not be issued for pesons above 18 years of age, except ST, SC and Tea garden workers, for another one year. If any person from other caste who is yet to get Aadhaar card, they… pic.twitter.com/75D8f79Nm4
— ANI (@ANI) August 21, 2025
સીએમ સરમાએ પોતાના નિવેદનમાં કડક શબ્દોમાં કહ્યું કે, “બાંગ્લાદેશી નાગરિકોને અમે સતત સરહદ પરથી પાછળ ધકેલી રહ્યા છીએ. હવે અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે કોઈપણ ગેરકાયદે ઘૂસણખોર આસામમાં પ્રવેશીને પોતાની ઓળખ બદલવા માટે આધાર કાર્ડ મેળવી ન શકે. અમે એ રસ્તાને સંપૂર્ણપણે બંધ કરી દીધો છે.”
આ નિર્ણય આસામના રાજકીય અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આસામ લાંબા સમયથી બાંગ્લાદેશી ઘૂસણખોરીની સમસ્યા ભોગવી રહ્યું છે, જેના કારણે રાજ્યની જનસાંખ્યિક સ્થિતિ, સંસ્કૃતિ અને રાજકીય સંતુલન પર અસર પડી રહી છે. સરકારનું માનવું છે કે આધાર કાર્ડ જેવી ઓળખપ્રણાલીનો ગેરકાયદેસર ઉપયોગ કરીને આવા લોકો રાજ્યમાં સ્થાયી થવા પ્રયત્ન કરે છે. હવે આ નિર્ણયથી એ માર્ગ બંધ થશે અને ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી શક્ય બનશે.
સ્થાનિક લોકો અને રાજકીય નિષ્ણાતોના મતે આ નિર્ણય રાજ્યની સુરક્ષા મજબૂત બનાવશે અને NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ) ને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવામાં સહાય કરશે. હિમંત બિસ્વા સરમાની સરકાર સતત આ મુદ્દે કડક વલણ અપનાવી રહી છે અને આ પગલું તેના રાજકીય સંકલ્પ અને વચનબદ્ધતાનું સાક્ષી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel