છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં આજે સવારે એક ભયંકર IED વિસ્ફોટની ઘટના બની છે, જેને કારણે સુરક્ષા દળોને મોટું નુકસાન થયું છે. ઇન્દ્રાવતી નેશનલ પાર્કની આસપાસના વિસ્તારમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમ નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહી હતી, ત્યારે રસ્તામાં પ્લાન્ટ કરાયેલા ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) નો જોરદાર વિસ્ફોટ થયો. આ અચાનક થયેલા બ્લાસ્ટમાં DRGના બહાદુર જવાન દિનેશ નાગ શહીદ થયા છે, જ્યારે ત્રણ અન્ય જવાન – ભરત ધીર, પાયકૂ હેમલા અને મુંદરુ કવાસી – ગંભીર રીતે ઘાયલ થયા છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, આ IED નક્સલવાદીઓ દ્વારા અગાઉથી જ સારી રીતે પ્લાન્ટ કરવામાં આવ્યો હતો, જેથી સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવે. રવિવારે જ આ વિસ્તારમાં સુરક્ષા દળોએ નક્સલ વિરોધી અભિયાન ચલાવ્યું હતું, જેના જવાબમાં નક્સલવાદીઓએ આ હુમલો રોચ્યો હોવાનું અનુમાન છે. બ્લાસ્ટ બાદ વિસ્તારને ઘેરીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેથી નક્સલવાદીઓની હિલચાલને કાબૂમાં લાવી શકાય.
Chhattisgarh: One Jawan killed and three injured in Naxalite's IED blast
Read @ANI story | https://t.co/WgBOHZSjzk#Chhattisgarh #naxals #IEDblast #Bilaspur pic.twitter.com/rswzlRBFY9
— ANI Digital (@ani_digital) August 18, 2025
શહીદ દિનેશ નાગનો પાર્થિવ દેહ શોકાકુલ વાતાવરણ વચ્ચે બીજાપુર જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. દિનેશ નાગ વર્ષ 2017માં DRGમાં સીધી ભરતી થયા હતા અને પોતાના કાર્યકાળ દરમિયાન અનેક નક્સલ વિરોધી ઓપરેશન્સમાં શૂરવીરતા દાખવી હતી. તેઓ બીજાપુરના જ વતની હતા અને એક નાના બાળકના પિતા હતા, સાથે જ તેમની પત્ની હાલ ગર્ભવતી છે. આ સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ઘાયલ ત્રણેય જવાનોને તરત જ પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને સેનાના હેલિકોપ્ટર દ્વારા તેમને રાયપુર રેફર કરવાની તૈયારી થઈ રહી છે. રાજ્ય પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે શહીદ જવાનોના બલિદાનને વ્યર્થ જવા દેવામાં નહીં આવે.
આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે છત્તીસગઢના જંગલ વિસ્તારમાં નક્સલવાદીઓ હજુ પણ સક્રિય છે અને સુરક્ષા દળો માટે સતત પડકાર ઊભો કરી રહ્યા છે. તેમ છતાં, DRG અને અન્ય સુરક્ષા એજન્સીઓનો મનોબળ અડગ છે અને નક્સલવાદીઓ વિરુદ્ધના ઓપરેશન્સ વધુ તીવ્ર બનાવવામાં આવશે. શહીદ દિનેશ નાગના બલિદાનને રાજ્ય સરકારે શ્રદ્ધાંજલિ આપી છે અને તેમના પરિવારને સંપૂર્ણ સહાય આપવાની ખાતરી આપી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel