મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઈંધણ સંકટ ઊભું થયું છે. ખાસ કરીને Strait of Hormuz પર થયેલા વિક્ષેપને કારણે તેલ અને ગેસના વૈશ્વિક વેપાર પર ગંભીર અસર પડી છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે, કારણ કે રશિયાએ ભારતને વધારાના તેલ અને નેચરલ ગેસ સપ્લાય કરવાની ઓફર કરી છે.
ગુરુવારે રશિયાના નાયબ વડાપ્રધાન ડેનિસ માંતુરોવે ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક કરી હતી. બેઠકમાં ઊર્જા, ખાતર, વેપાર અને કનેક્ટિવિટી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.
વડાપ્રધાન મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુલાકાત અંગે માહિતી શેર કરી હતી. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચે વેપાર, ખાતર સપ્લાય અને લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે ચર્ચા થઈ છે. ઉપરાંત, ગત વર્ષે યોજાયેલી ભારત-રશિયા સમિટના નિર્ણયોને અમલમાં મૂકવા માટે બંને દેશો સતત પ્રયાસ કરી રહ્યા છે.
Я был рад встретиться с первым заместителем председателя правительства России Денисом Мантуровым. Мы обсудили наше взаимовыгодное сотрудничество в сферах торговли, поставок удобрений, связей между людьми наших стран и взаимосвязанности. Я приветствую последовательные усилия,… pic.twitter.com/3qCrQ6kXoX
— Narendra Modi (@narendramodi) April 2, 2026
આ મુલાકાત બાદ રશિયન દૂતાવાસે જણાવ્યું કે રશિયન કંપનીઓ પાસે ભારતીય બજારમાં તેલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)નો પુરવઠો વધારવાની સંપૂર્ણ ક્ષમતા છે. ડેનિસ માંતુરોવે કહ્યું કે 2025ના અંત સુધીમાં ભારતને ખાતર સપ્લાયમાં 40% વધારો કરવામાં આવ્યો છે અને આગળ પણ ભારતની જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયા પ્રતિબદ્ધ છે. બંને દેશો કાર્બાઈડ ઉત્પાદન માટે સંયુક્ત પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયેલ અને યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર અસરકારક અવરોધ સર્જાયો છે. આ દરિયાઈ માર્ગ વિશ્વના મોટા હિસ્સાના તેલ-ગેસ વેપાર માટે અત્યંત મહત્વનો છે. ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો આ માર્ગ દ્વારા આયાત કરે છે, જેના કારણે ચિંતા વધી છે.
યુદ્ધ શરૂ થયા બાદ ભારત પોતાના ઊર્જા સ્ત્રોતોને વૈવિધ્યપૂર્ણ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ભારત સરકારે રશિયા, વેનેઝુએલા સહિતના દેશોથી તેલ આયાતમાં વધારો કર્યો છે. અગાઉના પ્રતિબંધો હોવા છતાં ભારતે રશિયન તેલ ખરીદી ચાલુ રાખી હતી, અને હવે અમેરિકા દ્વારા કેટલાક પ્રતિબંધોમાં છૂટછાટ મળ્યા બાદ રશિયા ફરીથી ભારત માટે મહત્વપૂર્ણ ઊર્જા સપ્લાયર બની રહ્યું છે.
આ પરિસ્થિતિમાં રશિયાની આ ઓફર ભારત માટે મોટી રાહત બની શકે છે, કારણ કે તે દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel