દેશના કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ આજે તેમનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસરે દેશભરના રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ખાસ કરીને જળ વ્યવસ્થાપન અને ‘હર ઘર જલ’ જેવી મહત્વપૂર્ણ યોજનાઓમાં તેમના યોગદાનને લઈ અનેક નેતાઓએ તેમની પ્રશંસા કરી છે.
PM મોદીએ પાઠવી શુભેચ્છા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સી.આર. પાટીલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે, “કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. જળ વ્યવસ્થાપનને મજબૂત બનાવવા અને ‘હર ઘર જલ’ના વિઝનને આગળ વધારવા માટેના તેમના સમર્પિત પ્રયાસો અસંખ્ય નાગરિકોના જીવનમાં સુધારો લાવી રહ્યા છે. હું રાષ્ટ્રની સેવામાં તેમના લાંબા, સ્વસ્થ અને સફળ જીવનની કામના કરું છું.”
Warm birthday greetings to Union Minister Shri CR Paatil Ji. His dedicated efforts towards strengthening water management and advancing the vision of Har Ghar Jal are helping improve the lives of countless citizens. Wishing him a long, healthy and fulfilling life in service of…
— Narendra Modi (@narendramodi) March 16, 2026
પાટીલનો પ્રધાનમંત્રીનો આભાર
પ્રધાનમંત્રીની શુભેચ્છાઓનો જવાબ આપતા સી.આર. પાટીલે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, આપની ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપનું દ્રષ્ટિવંત નેતૃત્વ મને જળ શાસનને વધુ મજબૂત બનાવવા અને ‘વિકસિત ભારત’ના નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપે છે.”
Hon’ble Prime Minister Shri @narendramodi Sir, I am deeply grateful for your warm wishes.
Your visionary leadership continues to inspire me to work with renewed commitment towards strengthening water governance and further advancing the mission of Har Ghar Jal, contributing… https://t.co/3qciRaaZpn
— C R Paatil (@CRPaatil) March 16, 2026
અન્ય કેન્દ્રીય મંત્રીઓની શુભેચ્છા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પણ પાટીલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે મોદીજીના નેતૃત્વમાં સી.આર. પાટીલ જળ સંસાધનોના સંરક્ષણ અને દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા છે.
केन्द्रीय जल शक्ति मंत्री श्री @CRPaatil जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ।
मोदी जी के नेतृत्व में आप जल संसाधनों के संरक्षण, प्रबंधन और हर घर तक स्वच्छ पेयजल उपलब्ध कराने की दिशा में सराहनीय कार्य कर रहे हैं। ईश्वर से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु की कामना करता हूँ।
— Amit Shah (@AmitShah) March 16, 2026
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ પણ પાટીલના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલએ ‘જલ જીવન મિશન’ના લક્ષ્યોને આગળ વધારવામાં તેમના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.
સી.આર. પાટીલની રાજકીય સફર
સી.આર. પાટીલનો જન્મ 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પિંપરી અકારાઉત ગામમાં થયો હતો. તેમનો પરિવાર વર્ષ 1953માં ગુજરાતમાં સ્થાયી થયો હતો. તેમણે 1989માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
હાલમાં તેઓ વર્ષ 2024થી દેશના જલશક્તિ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે અને 18મી લોકસભાના સભ્ય તરીકે પણ કાર્યરત છે. જળ વ્યવસ્થાપન, પીવાના પાણીની ઉપલબ્ધતા અને ‘જલ જીવન મિશન’ જેવા ક્ષેત્રોમાં તેમની કામગીરીને ખાસ મહત્વ આપવામાં આવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel