દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે 31 ઑક્ટોબર 2026 સુધી ઉજવણી ચાલવાની છે. તેમની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પીએમ મોદી કેવડિયા પહોંચ્યા છે અને સરદારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ પ્રજાસત્તાક દિવસની જેમ જ યોજાયો છે, જેમાં એકતા પરેડ અને રાજ્યકક્ષાની ઝાંખી રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં PM મોદી પણ હાજર રહ્યા છે.
#WATCH | Ekta Nagar, Gujarat: Prime Minister Narendra Modi pays tribute to Sardar Vallabhbhai Patel at the Statue of Unity, on 'Rashtriya Ekta Diwas', celebrated in his honour on his birth anniversary.
(Video: DD) pic.twitter.com/KLZhQxbhg9
— ANI (@ANI) October 31, 2025
PM નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને તેમની 150મી જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું છે કે, “ભારત સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.”
વધુમાં તેમણે કહ્યું કે, “તેઓ ભારતના એકીકરણ પાછળના પ્રેરક બળ હતા, તેમણે શરૂઆતના રાષ્ટ્રનિર્માણના વર્ષોમાં દેશના ભાગ્યને આકાર આપ્યો હતો. રાષ્ટ્રીય અખંડિતતા, સુશાસન અને જાહેર સેવા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. અમે એક સંયુક્ત, મજબૂત અને આત્મનિર્ભર ભારતના તેમના વિઝનને જાળવી રાખવાના અમારા સામૂહિક સંકલ્પને પણ પુનઃપુષ્ટ કરીએ છીએ.”
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel