દેશની રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી હાઈ-પ્રોફાઇલ ‘AI ઈમ્પેક્ટ સમિટ’ દરમિયાન આજે અચાનક ભારે હોબાળો મચી ગયો હતો. કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલની અંદર પ્રવેશી ગયા હતા, જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમિટમાં દેશ-વિદેશના અગ્રણી ટેક નિષ્ણાતો, ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓ હાજર હતા, ત્યારે થયેલા આ વિરોધ પ્રદર્શનથી કાર્યક્રમમાં ક્ષણિક અવ્યવસ્થા ફેલાઈ હતી.
AI Summit के चमकदार मंच के पीछे सच दबाया नहीं जा सकता.. जब देशहित से ऊपर कॉरपोरेट हित दिखें और विदेश नीति में नरमी साफ नजर आए, तब विरोध कर्तव्य बन जाता है!
इसीलिए भारतीय युवा कांग्रेस के जाबांज कार्यकर्ता📍भारत मंडपम पहुँचे.. ताकि “Compromised PM” के खिलाफ आवाज़ बुलंद हो और देश… pic.twitter.com/vTCCMgd0PK
— Indian Youth Congress (@IYC) February 20, 2026
પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા અને “PM is Compromised” જેવા નારા લગાવ્યા હતા. તેઓ અચાનક બેનરો અને પોસ્ટરો સાથે મુખ્ય હોલ નજીક પહોંચી ગયા હતા. સુરક્ષા દળોએ તરત જ હરકતમાં આવી સ્થિતિ કાબૂમાં લીધી અને દેખાવકારોની અટકાયત કરી તેમને સંકુલની બહાર લઈ જવામાં આવ્યા હતા. ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા કર્યા છે કે કડક બંદોબસ્ત હોવા છતાં કાર્યકરો અંદર કેવી રીતે પહોંચી શક્યા.
जब विदेश नीति में झुकाव, कॉरपोरेट दबाव और चुप्पी हावी हो… तो साफ है, PM मोदी COMPROMISED हैं!! 🔥
इसी सच्चाई को बेनकाब करने भारतीय युवा कांग्रेस के जाबांज कार्यकर्ता AI Summit पहुँचे और “Compromised PM” के खिलाफ विरोध प्रदर्शन किया!
देश की अस्मिता से कोई समझौता नहीं!
इंकलाब… pic.twitter.com/YMFw2zihRj
— Indian Youth Congress (@IYC) February 20, 2026
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, AI સમિટમાંથી કેટલાક કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી રહી ગઈ હતી કે નહીં તેની પણ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટના અંગે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતાં તેને “શરમજનક હરકત” ગણાવી છે. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે આવા આંતરરાષ્ટ્રીય મંચ પર રાજકીય વિરોધ પ્રદર્શન કરવાથી દેશની વૈશ્વિક છબિ ખરડાઈ શકે છે. હાલ પોલીસ દ્વારા અટકાયત કરાયેલા કાર્યકરો સામે કડક કાર્યવાહી શક્ય હોવાનું માનવામાં આવે છે અને ઘટનાને લઈને રાજકીય તણાવ વધુ તેજ બન્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel