જમ્મુ અને કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં 25મી ઓગસ્ટે વાદળ ફાટવાના બનાવે ભારે વિનાશ સર્જ્યો છે. અચાનક પડેલા ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક વિસ્તારોમાં જાનહાનિ અને માલમત્તાનું મોટું નુકસાન થયું છે. વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, ડોડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ચાર લોકોનાં મોત થયા છે, જેમાંથી બે લોકો ઘર ધરાશાયી થવાથી અને બે લોકો પૂરનાં પાણીમાં વહાઈ જવાથી મોતને ભેટ્યા છે. કિશ્તવાડ જિલ્લામાં પણ પૂર અને ભૂસ્ખલનથી અનેક ગામોમાં તારાજી ફેલાઈ છે, જેમાં દસથી વધુ ઘર તૂટી પડ્યા છે, નાના-મોટા પુલો ધોવાઈ ગયા છે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડોડા અને કિશ્તવાડમાં રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો અને સ્થાનિક વહીવટીતંત્ર સતત સ્થળ પર તહેનાત છે, જ્યારે સેનાની સહાયથી ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. પૂરને કારણે બટોટે-કિશ્તવાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-244) બંધ કરી દેવાયો છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. ભલેસા, થાથરી અને મારમત વિસ્તારોમાં પૂરથી નાના પુલો તૂટી પડતા ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે. રામબન જિલ્લામાં પણ ભારે ભૂસ્ખલન થવાથી જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવો પડ્યો છે, જે રાજ્ય માટેનું મુખ્ય માર્ગ છે.
Cloudburst has been reported in the Charwa area of Bhalesa, Doda. Prayers for everyone’s safety. Jammu is experiencing heavy rainfall — please don’t take it lightly and follow the advisories of the local administration. pic.twitter.com/VQXF1WblOy
— Shesh Paul Vaid (@spvaid) August 26, 2025
જમ્મુ શહેરમાં તાવી નદીમાં આવેલા પૂરે રહેણાંક વિસ્તારોમાં ઘૂસખોરી કરી દીધી છે. ભારે વરસાદ સાથે તીવ્ર પવન ફૂંકાતા નદીકિનારાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે, જેના કારણે વહીવટીતંત્રે આ વિસ્તારોને ખાલી કરાવી દીધા છે. નાગરિકોને સલામતી માટે હાઈઅલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
#WATCH | Doda, Jammu and Kashmir | Continuous heavy rainfall across Doda district has triggered landslides, mudslides, and shooting stones, leading to the closure of several link roads as well as stretches of the national highway. pic.twitter.com/0EuHmW5XNu
— ANI (@ANI) August 26, 2025
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર તાજેતરમાં વારંવાર વાદળ ફાટવાના બનાવોનો સામનો કરી રહ્યો છે. માત્ર થોડા દિવસો પહેલા, 14મી ઓગસ્ટે કિશ્તવાડ જિલ્લાના ચાસોટી ગામમાં વાદળ ફાટવાથી 65 લોકોનાં મોત થયા હતા અને 200 લોકો ગુમ થયા હતા. તે બનાવમાં મચૈલ માતા યાત્રા માટે આવેલા ઘણા શ્રદ્ધાળુઓ, તેમની બસો, તંબુઓ અને દુકાનો પૂરનાં પાણીમાં ધોવાઈ ગયા હતા. તાજેતરના આ નવા વાદળ ફાટવાના બનાવે ફરી એકવાર સ્થાનિક જનજીવનને પ્રચંડ આઘાત આપ્યો છે અને હાલ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર સતત ચુસ્ત કામગીરી કરી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel