સાઉદી અરબમાં એક ગમખ્વાર અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. એક ટેન્કર અને બસ વચ્ચે ભયંકર ટક્કર થયા બાદ 42 ભારતીયોના મોતની આશંકા છે. આ બસ મક્કાથી મદીના તરફ જતી હતી. આ અકસ્માતનો ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
ભારતથી ઉમરાહ પઢવા ગયા હતા
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર મૃત્યુ પામનારા ભારતીયો ઉમરાહ પઢવા માટે સાઉદી અરબ ગયા હતા. મોટાભાગના લોકો હૈદરાબાદના રહેવાશી હોવાની જાણકારી મળી રહી છે. આ મામલે તેલંગાણા સરકાર દ્વારા રિયાધમાં આવેલી ભારતીય દૂતાવાસનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે અમે આ મામલે દિલ્હી સરકારને જાણ કરી દીધી છે. આ દરમિયાન ભારતીય દૂતાવાસે હેલ્પ માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો.
Consulate General of India, Jeddah tweets, "In view of a tragic bus accident near Madina, Saudi Arabia, involving Indian Umrah pilgrims, a 24×7 Control Room has been set up in Consulate General of India, Jeddah." https://t.co/k9s3TABkVa pic.twitter.com/CLcB15psvK
— ANI (@ANI) November 17, 2025
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ ઘટનાની પુષ્ટી કરતા કહ્યું કે જે બસનો ટેન્કર સાથે અકસ્માત થયો તેમાં ઉમરાહ પઢવા જનારા મુસ્લિમ શ્રદ્ધાળુઓ હતા. આ બસની ટક્કર થયા બાદ તે સળગી ગઈ હતી. આ મામલે તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. આ મામલે ઓવૈસીએ રિયાધમાં આવેલી ભારતીય એમ્બેસીમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન અબુ માથેન જ્યોર્જ સાથે વાતચીત કરી હતી જેમણે આ ઘટના વિશે તમામ માહિતીઓ એકત્રિત કરવાનું આશ્વાસન આપ્યું હતું.
તેલંગાણામાં હેલ્પલાઈન નંબર જાહેર
પીડિતોના પરિજનોને માહિતી ઉપલબ્ધ કરાવવા માટે તેલંગાણાના સચિવાલય દ્વારા કન્ટ્રોલ રૂમની રચના કરવામાં આવી છે અને આ સાથે હેલ્પલાઈન નંબર 7997959754, 99129 19545 પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.
#WATCH | Delhi | On the bus accident in Saudi Arabia, Hyderabad MP Asaduddin Owaisi says, "…Forty-two Hajj pilgrims who were travelling from Mecca to Medina were on a bus that caught fire…I spoke to Abu Mathen George, Deputy Chief of Mission (DCM) at the Indian Embassy in… https://t.co/oiPCgAz4tZ pic.twitter.com/jTuf2kCZPf
— ANI (@ANI) November 17, 2025
વિદેશ મંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
દુર્ઘટનાને ધ્યાનમાં રાખી જિદ્દાહમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસે કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરી છે. વાણિજ્ય દૂતાાવાસે એક ટોલ ફ્રી નંબર 8002440003 પર જાહેર કર્યો છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસ અને જિદ્દાહના વાણિજ્ય દૂતાવાસ પીડિત ભારતીયો અને તેમના પરિવારોને સંપૂર્ણ મદદ કરી રહ્યા છે. હું પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના જલદી સ્વસ્થ થવાની કામના કરું છું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel