ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં નાગરિક અભિવાદન સાથે વિવિધ ઉપક્રમો યોજાયાં આ પ્રસંગે મોરારિબાપુએ ‘સવિશેષ’, ‘વિશેષ’ અને ‘શેષ’નું સન્માન અન્યો કરે છે, ‘નિઃશેષ’નું સન્માન પરમાત્મા કરે છે, તેમ ઉદ્બોધન કર્યું.
ગોહિલવાડની સુપ્રસિધ્ધ સામાજિક કેળવણી સંસ્થા શિશુવિહારમાં મોરારિબાપુના અધ્યક્ષસ્થાને માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન સમારોહ યોજાઈ ગયો.
વિશિષ્ટ પ્રતિભા સન્માન અર્પણ કરતી વેળાએ માનભાઈ ભટ્ટ સ્મૃતિ વ્યાખ્યાન આપતાં મોરારિબાપુએ આ પ્રસંગ પંચામૃત જેવો ગણાવી, પાંચ અમૃત દ્રવ્યો સમાન ઉલ્લેખ કરી અહોભાવ વ્યક્ત કર્યો. મોરારિબાપુએ ‘સવિશેષ’, ‘વિશેષ’ અને ‘શેષ’નું સન્માન અન્યો કરે છે, ‘નિઃશેષ’નું સન્માન પરમાત્મા કરે છે. આ સંસ્થા દ્વારા સમાજમાંથી વીણી વીણીને કોઈ ભલામણ પત્રો વગર થતી વંદનાને બિરદાવી. મોરારિબાપુએ હળવી ટકોર સાથે પ્રારંભે કહ્યું કે, દેવ થવામાં નહીં દેવત્વ પામવાનું વિશેષ મહાત્મ્ય છે. અહીંયા સન્માનિતો દેવત્વ પામનારા પાંચ એટલે પંચામૃત સમાન છે.
આ પ્રસંગે મોરારિબાપુએ ગાંધીજી, વિનોબાજી, રવિશંકર મહારાજ, મનુભાઈ પંચોળી સાથે માનભાઈ ભટ્ટ વગેરેનું સ્મરણ કર્યું અને તેમને રામજી સહિત રામકથાના પાત્રોના સ્મરણ સાથે લોકદર્શન થઈE રહ્યાનો અહોભાવ વ્યક્ત કર્યો.
માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન પ્રવૃત્તિ વર્ષ ૩૫ અંતર્ગત મોરારિબાપુના અધ્યક્ષસ્થાને આ સમારોહમાં પાંચ વિશિષ્ટ પ્રતિભા વ્યક્તિઓ મનસુખભાઈ સુવાગિયા, જૂઈન દત્તા, અતુલભાઈ ઉનાગર, મમતાબેન પુરોહિત તથા તુલજાશંકર જોષીનાં સન્માન કરવામાં આવ્યાં.
કાર્યક્રમ પ્રારંભે સ્વાગત ઉદ્બોધનમાં સંસ્થાના વડા નાનકભાઈ ભટ્ટે આજ સુધીમાં ૧૧૭ જેટલી સન્માનિત વ્યક્તિઓ મૂડી ગણાવી સરદાર પટેલ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રસંગ સ્મૃતિનો ઉલ્લેખ કરી જન સહયોગ સાથે મુલ્ય શિક્ષણ માટે શિશુવિહાર કાર્યરત હોવાનું કહ્યું તેમજ મોરારિબાપુની મળતી હૂંફનો આનંદ વ્યક્ત કર્યો.
પ્રારંભે સ્વાતિબેન પારેખ દ્વારા સુંદર પ્રાર્થના ગાન પ્રસ્તુત થયું.
આ પ્રસંગે શિશુવિહારના રાજેન્દ્રભાઈ દવે અને ઈંદાબહેન ભટ્ટ દ્વારા મોરારિબાપુનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું.
સન્માનિત પ્રતિભાઓ દ્વારા પોતાના અહોભાવ સભર પ્રતિભાવમાં તેઓની પ્રવૃતિનો અણસાર પણ આપવામાં આવ્યો.
શિશુવિહાર સંસ્થા દ્વારા બાળકોએ તૈયાર કરેલાં ચિત્રો દ્વારા ‘વંદે માતરમ્ શતાબ્દી’ અને શ્રમનું ગૌરવ’ વિષય સાથેનું ભાતિગળ તારીખિયું નિર્માણ થયું, તે આ સમારોહમાં વિમોચન વિમોચન અને માર્ગદર્શકો અશોકભાઈ પટેલ તથા રમેશભાઈ ગોહિલ સાથે આ બાળ ચિત્રકારોનું અભિવાદન થયું.
આ સમારોહ દરમિયાન પ્રથમ શિશુવિહાર સંસ્થાનાં નવા તાલીમ ભવનનું ઉદ્ઘાટન મોરારિબાપુના હસ્તે થયું.
વિવિધ ઉપક્રમો સાથેના આ સમારોહ સંચાલનમાં છાયાબેન પારેખ રહ્યાં. આ પ્રસંગે જયંતભાઈ વાનાણીની વિશેષ ઉપસ્થિતિ રહી. સમારોહમાં નલીનભાઈ પંડિત, અરુણભાઈ દવે, હરિશ્ચંદ્રભાઈ જોષી, વિનોદભાઈ જોષી, સુભાષભાઈ ભટ્ટ, નેહલબેન ગઢવી સહિત મહાનુભાવો જોડાયાં હતાં.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel