દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)એ પોતાના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે (2 એપ્રિલ) આ અંગે સત્તાવાર માહિતી સામે આવી, જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
મીડિયા અહેવાલ મુજબ, પાર્ટીએ Rajya Sabha Secretariatને પત્ર લખીને રાઘવ ચઢ્ઢાને પાર્ટીના ઉપનેતા પદેથી હટાવવાની જાણ કરી છે. સાથે જ પાર્ટીએ રાજ્યસભામાં AAPના ક્વોટામાંથી તેમને બોલવાનો સમય ન ફાળવવા માટે પણ સૂચના આપી હોવાનું જાણવા મળે છે.
હાલમાં રાજ્યસભામાં AAPના કુલ 10 સાંસદો છે, જેમાંથી 3 દિલ્હી માંથી અને 7 પંજાબ માંથી આવે છે. આ બદલાવ પાર્ટીના આંતરિક સંગઠન અને વ્યૂહરચનામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
Aam Aadmi Party (AAP) has informed the Rajya Sabha Secretariat that MP Raghav Chadha should not be allotted time to speak in Parliament: Sources
— ANI (@ANI) April 2, 2026
AAPએ રાઘવ ચઢ્ઢા ના સ્થાને અશોક મિત્તલને રાજ્યસભામાં નવા ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કરવાની ભલામણ મોકલી છે. જોકે આ મામલે અત્યાર સુધી પાર્ટી અથવા રાઘવ ચઢ્ઢા તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
રાજકીય વિશ્લેષકોના મતે, આ નિર્ણય પાછળના કારણો આગામી સમયમાં વધુ સ્પષ્ટ થઈ શકે છે, પરંતુ હાલ માટે આ પગલું AAPના આંતરિક ફેરફારોનું સંકેત આપે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel