બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેઓ ઢાકા પહોંચતા જ BNPના લાખો કાર્યકર્તાઓ અને સમર્થકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. એરપોર્ટથી સભાસ્થળ સુધીનો સમગ્ર માર્ગ સમર્થકોથી છલકાયો હતો. સંબોધન દરમિયાન તારિક રહેમાને જણાવ્યું કે દેશને આજે શાંતિ, સ્થિરતા અને એકતાની સૌથી વધુ જરૂર છે અને ‘આપણે સૌ મળીને નવું બાંગ્લાદેશ બનાવવાનું છે’. તેમની વાપસીને ફેબ્રુઆરી 2026માં યોજાનારી ચૂંટણી પહેલા BNP માટે મોટી રાજકીય સફળતા માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં શેખ હસીનાની સરકારે ભ્રષ્ટાચારના આરોપો લગાવતા તેઓ ધરપકડથી બચવા લંડન ચાલ્યા ગયા હતા.
આ દરમિયાન બાંગ્લાદેશમાં હિંસક ઘટનાઓ પણ વધી રહી છે. વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદથી પરિસ્થિતિ વધુ તંગ બની છે. તાજેતરમાં ઢાકામાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું, ત્યારબાદ ટોળાએ ઢાકા યુનિવર્સિટીમાં તોડફોડ કરી હતી, જેના કારણે ભયનો માહોલ સર્જાયો. સંબોધનમાં તારિક રહેમાને અલ્લાહનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે 1971માં બલિદાનો બાદ આઝાદી મેળવનાર આ ધરતી પર ફરી પગ મૂકવાનો અવસર મળ્યો છે. તેમણે 2024ના જનઆંદોલનનો ઉલ્લેખ કરી જણાવ્યું કે લોકો સંપ્રભુતાની રક્ષા માટે એકજૂટ થયા હતા.
તારિક રહેમાને તમામ ધર્મોના લોકો—મુસ્લિમ, હિંદુ, ઇસાઈ અને બૌદ્ધ—એકસાથે રહીને દેશના ભવિષ્યનું નિર્માણ કરવાની અપીલ કરી. શેખ હસીના સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે 15 વર્ષના શાસનમાં લોકો ખુલ્લેઆમ બોલી શક્યા નહોતા અને 2024ના આંદોલનના નેતા ઉસ્માન હાદીની હત્યા કરી દેવાઈ. તેમણે ઉમેર્યું કે હવે દેશની કમાન યુવા પેઢી સંભાળશે અને BNP બાંગ્લાદેશમાં શાંતિ, સ્થિરતા અને લોકશાહી મજબૂત કરવા પ્રતિબદ્ધ છે. અંતમાં તેમણે માર્ટિન લૂથર કિંગના ઉક્તિને યાદ કરતા કહ્યું, “આઈ હેવ એ ડ્રિમ” પછી આજે તેઓ કહે છે કે “મારે એક પ્લાન છે”—દેશના લોકો અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel