સુપ્રીમ કોર્ટમાં રોહિંગ્યા શરણાર્થીઓ સંબંધિત ચાલી રહેલી સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે પૂછેલા એક સવાલ—“શું ઘૂસણખોરોના સ્વાગત માટે રેડ કાર્પેટ પાથરવો જોઈએ?”—ને લઈને શરૂ થયેલા વિવાદ બાદ હવે પરિસ્થિતિ વધુ ઉગ્ર બની છે. CJIના આ નિવેદનને લઈને કેટલાક જૂથો અને કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયા અને જાહેર મંચો પર તીવ્ર ટીકાઓ થઈ રહી હતી.
આ ટીકાઓમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે CJIની ટિપ્પણી એ અત્યાચારનો ભોગ બનીને ભાગી રહેલા લોકોને ‘અમાનવીય’ રીતે રજૂ કરે છે. આ વિરુદ્ધ 44 નિવૃત્ત ન્યાયાધીશો, જેમાં પૂર્વ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોનો સમાવેશ થાય છે, એકજૂટ થયા છે અને તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ સમગ્ર અભિયાન સંપૂર્ણપણે ‘મોટિવેટેડ’ છે, જેનો હેતુ ન્યાયપાલિકાની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડવાનો છે.
44 retired judges say enough is enough.
Misrepresenting CJI Surya Kant’s remarks on Rohingya migrants is not “critique” , it is a motivated attack on the Supreme Court itself.
When routine judicial questions are branded prejudice, it is not the judge who is under attack, it is… pic.twitter.com/V2XPiPiyRp
— LawBeat (@LawBeatInd) December 9, 2025
નિવૃત્ત ન્યાયાધીશોની દલીલ છે કે CJI સૂર્યકાંતે માત્ર કાયદાની દ્રષ્ટિએ મૂળભૂત પ્રશ્ન પૂછ્યો હતો—ભારત જેવા દેશમાં, જ્યાં પહેલાથી જ સંસાધનો મર્યાદિત છે, ત્યાં કાયદેસર દરજ્જો વિના આવેલા વ્યક્તિઓને રહેવાની મંજૂરી આપવી જોઈએ કે નહીં? તેમણે ઉમેર્યું કે આ ટિપ્પણીને ‘અમાનવીય’ કહેતા કાર્યકરો અને જૂથોએ જાણે-જોઈને તે મહત્વપૂર્ણ નોંધને અવગણેલી છે, જેમાં અદાલતે સ્પષ્ટ કહ્યું હતું કે ભારતની જમીન પર રહેતા તમામ વ્યક્તિઓ—ચાહે તે ભારતીય નાગરિક હોય કે વિદેશી—તેમના ગૌરવ અને માનવ અધિકારોનું રક્ષણ કરવાનું બંધારણ ભારતને ફરજ પાડે છે.
નિવૃત્ત ન્યાયાધીશોના સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે ન્યાયપાલિકાની ટીકા એ તર્ક, દલીલો અને કાનૂની વિચારો પર આધારિત હોવી જોઈએ, વ્યક્તિગત હુમલાઓ અથવા રાજકીય હેતુથી પ્રેરિત અભિયાનો પર નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે CJIને નિશાન બનાવવાનો પ્રયત્ન ન માત્ર ગેરયોગ્ય છે, પરંતુ તે ન્યાયપાલિકાને કમજોર કરવા સમાન છે. નિવૃત્ત ન્યાયાધીશોનું માનવું છે કે અદાલતે સવાલો પૂછવા અને સરકાર પાસે જવાબ માંગવા માટે પૂરતી સ્વતંત્રતા હોવી જોઈએ, કારણ કે એ જ લોકશાહી અને બંધારણીય મૂલ્યોની ઊભી રહેલી સૌથી મજબૂત દીવાલ છે.
આ સિવાય, તેમણે રોહિંગ્યાઓ દ્વારા ભારતીય દસ્તાવેજોની ગેરકાયદેસર મેળવણીના આક્ષેપોની ચકાસણી માટે કોર્ટ-નિરીક્ષિત SITની માગણીને પણ યોગ્ય ગણાવી છે. પત્રના અંતે નિવૃત્ત ન્યાયાધીશોએ સુપ્રીમ કોર્ટ અને CJI પર ‘સંપૂર્ણ વિશ્વાસ’ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે દેશની સુરક્ષા, માનવતા અને કાનૂન વચ્ચેનો સંતુલન જાળવી રાખવા માટે ન્યાયપાલિકાની નિષ્પક્ષતા અને દ્રઢતા અનિવાર્ય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel