આ પ્રસંગે વ્યારા ના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા જીએસટી સુધારાના લાભો, વ્યવસાયને સહેલાઈથી ચલાવવા માટેના નિયમો તથા ટેક્સ પ્રણાલીમાં થનારા સકારાત્મક પરિવર્તનો વિશે વિગતવાર સમજ આપી.
તેમજ કાર્યક્રમમાં નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નિલભાઈ રાવે ઉપસ્થિત રહી કાર્યકરોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની તથા “આત્મનિર્ભર ભારત”ના સપનાને સાકાર કરવા માટે આગ્રહ કર્યો.
કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ પણ જીએસટી સુધારાઓ અંગે માર્ગદર્શન આપ્યું તથા ઉપસ્થિત કાર્યકરોના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા.
અંતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા “સ્વદેશી અપનાવો – દેશને મજબૂત બનાવો”નો સંદેશ આપતાં કાર્યક્રમનીવી સમાપ્તિ કરવામાં આવી.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel